Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લામાં એક દુષ્કર્મ કેસની તપાસ હજુ તો માંડ પોલીસ પૂર્ણ કરે ત્યાં જ અન્ય દુષ્કર્મની ઘટના સામે આવીને ઉભી રહી જાય છે, તાજેતરમાં જ જોડીયાના બાલંભા ગામના ઉદાસીન આશ્રમના મહંત વિરુદ્ધ મહિલા પર દુષ્કર્મની ઘટના તાજી છે ત્યાં જ જીલ્લાના જામજોધપુરમાં દુષ્કર્મની ઘટનામાં દુકાનદાર સામે ગુન્હો નોંધાયો છે, પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે ત્રણેક માસના સમયગાળામાં એકથી વધુ વખત સગીરા પર દુષ્કર્મ આચરનાર મયુર ડાભી વિરુદ્ધ પોસ્કો, બળાત્કાર સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી મેડીકલ તપાસણી કરાવવામાં આવી રહી છે,
પોતાની દુકાને માલસામાન લેવા આવેલ સગીરા પર તકનો લાભ લઈને નિયત બગડતા દુકાનદાર મયુર ડાભીએ સગીરાને ધાકધમકી આપી લલચાવી ફોસલાવી ત્રણેક વખત દુષ્કર્મ આચર્યા બાદ જો આ વાતની જાણ સગીરા કોઈને કરે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોય જે બાદ સગીરા પોતાના ઘરમાં ગુમસુમ રહેતા તેના પરિવારજનોએ આ બાબતે પૂછપરછ કરતા સગીરાએ આપવીતી વર્ણવી હતી, જેથી આ મામલે અંગે જામજોધપુર પોલીસ મથકમાં મયુર ડાભી વિરુદ્ધ ગુન્હો નોંધાતા પોલીસે વિધિવત તપાસ શરુ કરી છે.