Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં તસ્કરોની રંજાડ ક્યાંક ને ક્યાંક વધી રહી હોય તેમ લાગી રહ્યું છે, છેલ્લા 24 કલાક દરમિયાન તસ્કરોએ જામનગરમાં એક મકાન તો દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુરમાં એક દુકાનને નિશાન બનાવી લાખોની મતા ઉસેડી લીધાની ફરિયાદ જાહેર થઇ છે,
દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે આવેલી મેઈન બજારમાં એક દુકાનમાં રાત્રિના સમયે તસ્કરોએ ખાતર પાડી રૂપિયા 1,94,500 ની રોકડ રકમ ચોરી કરીને લઈ ગયાની ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.આ ફરિયાદ કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામના મૂળ રહેવાસી અને હાલ ભાટીયા ગામે રહેતા મનોજભાઈ જમનાદાસ દાવડાએ નોંધાવી છે આ ફરિયાદમાં જણાવાયા મુજબ ભાટિયાની મેઈન બજાર વિસ્તારમાં પી.એચ.સી. હોસ્પિટલ સામે આવેલી જલારામ મેડિકલ સ્ટોર નામની દુકાનમાં શુક્રવારે મોડી રાત્રિના સમયે તસ્કરોએ દુકાનના શટરનું તાળું તોડી, આ દુકાનના ખાનામાં આ રાખવામાં આવેલા રૂપિયા 1,94,500 ની રોકડ રકમ ચોરી કરીને લઈ ગયાની ફરિયાદ નોંધાઈ છે,.
જયારે ચોરીના બીજા કિસ્સામાં જામનગર શહેરના સેતાવાડ નજીક સુરુચિ કુકિંગ ક્લાસ નામના રહેણાક મકાનમાં તસ્કરોએ ત્રાટકી મકાનના ઓસરીના દરવાજાનો નકુચો તોડી નીચેના રૂમના દરવાજાનુ તાળુ તોડી રૂમમા આવેલ લાકડામા કબાટનુ તાળુ તોડીને લાકડાના કબાટના ખાનામાં અલગ અલગ પ્લાસ્ટીકના પાઉચમા સોનાના જુનવાણી દાગીના જેમા સોનાની ઘરેણા જેમા ચાર નંગ સોનાની બંગડી જે આશરે છ તોલા બે નંગ સોનાની પાટલી જે આશરે ત્રણ તોલા સોનાના ત્રણ નંગ ચેઇન જે આશરે છ તોલા અને બે નંગ સોનાના સાથીયાની ડીઝાઇન વાળા પાટલા જે આશરે પાંચ તોલાના સાધનબેનના સોનાના ઘરેણા આશરે વીસેક તોલા નવ ગ્રામ જેટલુ જેની આશરે કિ.રૂ.5,30,000 ની કીમતના સોનાના દાગીના તથા રોકડા રૂપીયા આશરે 25000 જેટલા એમ કુલ ચોરીમા આશરે રૂ.5,75,000 ના સોનાના ઘરેણા તથા રોકડા રૂપીયાની કોઇ અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી ગયાની ફરિયાદ બ્રિજેશ ભાઠા દ્વારા સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવતા પોલીસ ઇન્સ્પેકટર એમ.બી.ગજ્જર દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ રહી છે.