Mysamachar.in-જામનગર
જામનગરમાં ચિંતાજનક રીતે કોરોનાના કેસ વધવા લાગ્યા છે, યુવાનથી માંડી પ્રૌઢ-વૃદ્વો સહિતના અમુક દર્દી મોતને ભેટે છે એ પરિવારોની કરૂણ સ્થિતિ કેવી સર્જાતી હશે?? તેમજ કરોનાથી તકલીફ નથી થઇ રહી તેથી વધુ તકલીફ કોરોનાના ભયથી થાય છે, આ તમામ બાબતોની ચર્ચા સાથે જી.જી હોસ્પીટલમા આ ખામી છે,દર્દીઓની કાળજી નથી લેવાતી, સફાઇ નથી, સમયસર દવા ખોરાક નથી મળતા વગેરે બાબતો નગરમા જોરશોરથી ચર્ચાય રહી છે,
તેને સરકારમા જામનગરનુ પ્રતિનિધિત્વ કરતા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ રચનાત્મક રીતે લઇ પોતે જ્યારે કોરોનાગ્રસ્ત થયા ત્યારે ઘણુ ચિંતન કર્યુ બાદમા પોતે સંપુર્ણ સ્વસ્થ થયા બાદ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ જે મુદા રજુ કર્યા એ પોઇન્ટસ સંવેદનશીલ હતા માટે તુરંત સી.એમ.એ સુચન સ્વીકારી અધીક મુખ્ય સેક્રેટરી પંકજકુમારને જામનગર રાજ્યમંત્રીની સાથે અને સમગ્ર તંત્ર અને ડોક્ટરો સાથે ખાસ મીટીંગ માટે સ્પેશ્યલ મોકલ્યા માટે એ મીટીંગ વધુ અસરકારક રહેશે તેવી જાણકારો અને દર્દીઓ તેમજ તેમના સ્વજનો અને સૌને આશા બંધાઈ છે,
ખાસ કરીને જી.જી. ની કોરોના હોસ્પીટલમા સ્વચ્છતા એટેન્ડન્ટ કાઉન્સેલર ફ્રીક્વન્ટ ડોક્ટર નર્સીંગ સ્ટાફ વિઝીટ ટ્રીટમેન્ટ મેથડ વગેરે પોઇન્ટસ વન બાય વન ડીસકસ થયા માટે એ મુજબ કોરોના ના દર્દીઓની સારવાર અને સંભાળ લેવા સુચનાઓ અપાઇ હોવાથી હવે એ દિશામા કાર્યવાહી થનાર છે, દર્દીને ભય હોય તે દૂર કરવા દર ચાર કલાકે કાઉન્સેલર દર્દીને પોઝીટીવ થોટસ આપશે અને મનોબળ પણ મજબુત કરશે અને જંગ જીતવા મક્કમ કરશે આપણે જોયુ છે કે સાજા થવા માટે સારવાર જેટલુ જ મહત્વ મક્કમ મનનુ છે, ઉપરાંત હોસ્પીટલમા સ્વચ્છતા ઉપર ભાર મુકાયો છે તેમજ બાયો વેસ્ટ નિકાલની સારી કાયદેસરની પદ્ધતિ અપનાવાશે નહિ તો બાયો વેસ્ટ પણ ઇન્ફેક્શન ફેલાવે છે, આ મીટીંગમા એટલા મુદાઓ આવરી લેવાયા છે કે એવુ લાગે કે રાજ્ય સ્તરીય સઘન મીટીંગ જાણે જામનગરમા ખાસ પ્રથમ વખત એક નવા દ્રષ્ટીકોણથી થઇ હોય તેવુ સમીક્ષકોએ સંપુર્ણ અહેવાલો જાણ્યા બાદ અભિપ્રાય આપ્યા છે.
-અત્યાર સુધી અહીથી ડોક્ટરો જતા હવે…..
જામનગરની કોવિડ અને જી.જીમાં થી ડોક્ટરો ખુબ મોટી સંખ્યામા બીજા જીલ્લામા સેવા આપવા ગયા છે હજુ જાય છે, ત્યારે પ્રથમ વખત એવુ બન્યુ કે નિષ્ણાંત ડોક્ટરો અમદાવાદથી સરકારે અહી મોકલ્યા છે, હજુય બીજા ડોક્ટર્સ આવવાના છે, જેથી અહીના ડોક્ટરો રાત દિવસ એક કરી સારવાર કરે છે તેમને સપોર્ટ મળશે સાથે જ નર્સીંગ અને પેરા મેડીકલ સ્ટાફ પણ દર્દીઓ માટે ખડે પગે હોય છે, આ બધાની ડોક્ટર અને સાથી સ્ટાફની મર્યાદા હોય ને છતાય થાકે ત્યા સુધી જમ્યા વગર સુતા વગર સેવા આપે છે હવે સૌ ખરેખર એવા થાક્યા છે કે સપોર્ટની જરૂર છે માટે સરકારે અહી જરૂરી દરેક કેડરમા સ્ટાફ પુરો પાડવા નિર્ણય કર્યો છે.
–દર્દી અને સગાઓની વિશેષ લેવાશે કાળજી..જેની સરકારને ક્રેડીટ આપતા રાજ્યમંત્રી
રાજ્યમંત્રી હકુભાએ જામનગર માટે મહત્વની રજુઆતો કરી સરકારમાંથી ડોક્ટરો લાવવા સહિત વ્યવસ્થા કરાવ્યા બાદ પણ વાતચીતમા સરકારને જ ક્રેડીટ આપી મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી તથા કોરોના સ્ટેટ ઇન્ચાર્જ સચિવને ક્રેડીટ આપી હતી અને દર્દી અને તેમના સગાઓની ચિંતા કરી દર્દીની સગાઓ સાથે સમયાંતરે વ્યવસ્થિત વાત કરાવાય જેથી સગા ચિંતા ન કરે તેવી વ્યવસ્થા થયાનુ પણ જણાવ્યુ અને તમામ નાની મોટી બાબતોના ઉકેલની દિશામા પોઝીટીવ વ્યવસ્થા કરાવ્યા છતા પોતે વિનમ્ર રહી હજુ વધુ સારી સગવડ કરવા પણ સરકાર તૈયાર છે તેમ ઉમેર્યુ હતુ.