Mysamachar.in-જામનગર
જામનગર શહેર અને જીલ્લામાં કોરોના વાયરસની કેસોની સંખ્યા સતત ને સતત વધી રહી છે, આજ દિવસ સુધીમાં 230 કેસો તો નોંધાઈ ચુક્યા છે, ત્યારે કોરોના સંક્રમણ વધતું અટકાવી શકાય તે માટે જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર સતીશ પટેલ દ્વારા મનપામાં આવનાર અરજદારો અને કર્મચારીઓ અધિકારીઓને કોરોના સંક્રમણ થી બચાવી શકાય તેવા તકેદારીના ભાગરૂપે આજથી મહાનગરપાલિકાના મુખ્ય પ્રવેશદ્વાર પર સિક્યુરીટી ટાઈટ કરી દેવામાં આવી છે, અને અતિ આવશ્યક કામ હોય તેવા અરજદારોને જ પ્રવેશ અધિકારી સાથે વાતચીત કરાવ્યા બાદ આપવામાં આવી રહ્યો છે, ગઈકાલે કમિશ્નર દ્વારા આપવામાં આવેલ આ સૂચનાનું કડક અમલીકરણ શરુ કરી દેવામાં આવ્યું છે,