Mysamachar.in-ગાંધીનગર
તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા લાંબા સમયથી અટવાયેલા અને 65000 શિક્ષકોને સીધા જ સ્પર્શતા મુદ્દા પર નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ નિર્ણય અંગે કહ્યું હતું કે શિક્ષણ-વિભાગનો તા.25 જૂન-2019નો પત્ર રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તદઅનુસાર હવેથી રાજ્યભરના 65 હજાર જેટલા પ્રાથમિક શિક્ષકોને અગાઉની વ્યવસ્થા મુજબ જ પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ તરીકે 4200 ગ્રેડ-પે મળતો રહેશે તેમ મંત્રીઓએ જણાવ્યું હતું.
જો કે આ નિર્ણય હજુ કેટલાક શિક્ષકો માટે અધુરો હોવાનો સુર રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયા સહિતની ટીમે ઉઠાવ્યો હતો તેવોએ શિક્ષણમંત્રીને આ બાબતે કરેલ રજુઆતમાં આંદોલનની ચીમકી ઉચ્ચારતા હવે શિક્ષણવિભાગ આ મામલે હરકતમાં આવ્યો છે અને આવતીકાલે શનિવારે સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયા સહિતની ટીમને આ પ્રશ્ને ચર્ચા કરવા માટે ગાંધીનગર ખાતે બોલાવવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે, અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા રાજયની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તેમજ અન્ય HTAT મુખ્ય શિક્ષકોને પણ શિક્ષક જેટલા જ પગાર આપવાનો નિર્ણય આપેલો છે. જે વિસંગત બાબત છે. આ બાબતે રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘની રજૂઆતો ધ્યાને લિધા વિના વિસંગતતા દૂર ન થાય તે રીતનો નિર્ણય લેવાયો છે.