Mysamachar.in-જામનગર:
જામનગર મ્યુનીસીપલ કમિશ્નર વિજયકુમાર ખરાડી દ્વારા શહેરીજનોના વિશાળહિતમાં અને કોરોના મહામારી સામે શહેરીજનોને રક્ષણ માટે તે માટે એક મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે, અને તેમાં લોકો પણ પુરતો સહકાર આપે તેવી આશા રાખવામ આવી રહી છે, હાલમાં ગુજરાત રાજય સહિત જામનગર શહેરમાં કોવિડ–19 મહામારીને પહોંચી વળવા તથા લોકોને આ રોગથી રક્ષણ મળે તે માટે મોટાપાયે વેકસીનેશનની કામગીરી ચાલી રહેલ છે. તેમજ અત્યાર સુધીમાં જામનગર શહેરના નાગરિકોને કુલ 6,38,993 ડોઝ આપવામાં આવેલ છે. જેમાં પ્રથમ ડોઝ 4,20,183 અને બીજો ડોઝ 2,18,810 આપવામાં આવેલ છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ લોકોને કોવિડ–19 વેકસીન મળી રહે તે માટે મહત્તમ પ્રયત્નો કરવામાં આવી રહેલ છે. તમામ અર્બન હેલ્થ સેન્ટર, કોમ્યુનીટી હોલ, શાળાઓમાં, સ્લમ વિસ્તારમાં જઈને વેકસીનની કામગીરી હાથ ધરવામાં આવે છે. તેમજ જામનગર મહાનગરપાલિકા ધ્વારા શહેરના ૧૮ વર્ષથી વધુ ઉંમરના તમામ વ્યકિતઓને 100% પ્રથમ ડેઝ મળી રહે તેના ભાગરૂપે વેકસીન મહાઅભિયાન સંપન્ન ક૨વામાં આવેલ છે,
જામનગર મહાનગરપાલિકા દ્વારા કાર્યરત સ્પોર્ટસ કોમ્લેક્ષ, લાખોટા મ્યુઝીયમ, રણમલ લેક, તમામ સીવીક સેન્ટર, વોર્ડ ઓફિસ, માં કાર્ડ સેન્ટર, આધાર કાર્ડ સેન્ટર, શહેરમાં આવેલ જુદા-જુદા ગાર્ડન અને જામનગર મહાનગરપાલિકાની તમામ બિલ્ડિીંગમાં પ્રવેશ પહેલા કોવિડ વિકસીનેશનના સર્ટિફિકેટ બાબતે આગ્રહ રાખવામાં આવશે. આમ કોવિડ–19 વેકસીનેશન માટે લાયકાત ધરાવતા 18 વર્ષથી વધુ ઉંમરના જે લોકોએ પ્રથમ ડોઝ લીધેલ ન હોય તેમજ જેઓ બીજા ડોઝની પાત્રતા ધરાવતા હોય તેમ છતાં પણ બીજો ડોઝ ન લીધેલ હોય તેવા વ્યકિતઓને ઉપરોકતજગ્યાએ તા.1/10/2021, શુક્રવારથી પ્રવેશ આપવામાં આવશે નહીં. આમ, જામનગર શહેરની જનતાને પોતાના રહેણાક વિસ્તારમાં અને ધંધાકીય એકમો સાથે સંકળાયેલા તમામ વ્યકિતઓ વેકસીન મેળવી લે તે સુનિશ્ચિત કરવા જણાવવામાં આવે છે.