Mysamachar.in-જામનગર
આમ તો મિત્રતાનો સંબંધ હોય ત્યાં નાણાકીય લેતીદેતીથી માંડીને અન્ય વ્યવહારો સબંધના દાવે ચાલતા હોય છે, પણ સબંધમાં વિશ્વાઘાત અને છેતરપીંડીની એક ઘટના જામનગરમાં સામે આવી છે, પોલીસ ચોપડે નોંધાયેલ વિગતો મુજબ શહેરના લીમડાલાઈન રાજપૂતપરામાં વસવાટ કરતા મહર્ષિ મનોજભાઈ ત્રિવેદી નામના યુવકના પિતા મનોજભાઈને દેવાંગ વિજયભાઈ સુતરીયા સાથે મિત્રતા હતી,અને મિત્રતાને દાવે 7/9/2017ના દિવસે દેવાંગ સુતરીયાએ કહેલ પત્ની બીમાર છે અને તમારી કાર જોઈએ છે તેમ કહી મિત્રને જ વિશ્વાસમાં કેળવી લઇ અને તેની ઇકો સ્પોટ ટાઈટેનિયમ કાર નંબર GJ-10-CN-0693 જેની કીમત 10 લાખ થાય તે લઇ ગયા બાદ આજે ત્રણ વર્ષનો સમયગાળો વીતી જવા છતાં અને વારંવાર કારની માગણી કરવા છતાં કાર પરત ના મળતા મહર્ષિ ત્રિવેદીએ સીટી બી ડીવીઝન પોલીસમથકમાં 406/420 મુજબ ફરિયાદ નોંધાવી છે.