Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લાના જોડીયામાં ચકચાર મચાવનાર ઘટના પોલીસ ચોપડે ચઢી છે, જોડિયા પોલીસ પાસેથી પ્રાપ્ત થઇ રહેલ વિગતો પ્રમાણે જોડિયા નજીક બાલંભા ગામે ઉદાસીન આશ્રમ આવેલ છે. અને આશ્રમના મહંત તરીકે 56 વર્ષીય હરિદાસ બાપુ કાર્યભાર સંભાળે છે, એવામાં થોડા સમય પૂર્વે આશ્રમના અનુયાયી એવી એક મહિલાને સંતે ફોન કરી અને હું બીમાર છું તમે સેવા કરવા આવો તેમ કહી નજીકના ગ્રામીણ વિસ્તારમાં રહેતી 40 વર્ષીય પરિણીતાને પોતાના આશ્રમ ખાતે બોલાવેલ અને ભોગ બનનાર પરિણીતા જયારે પગ દબાવી રહી હતી ત્યારે સંત હરિદાસની નિયત બગડતા તેને મહિલાને તેની બાહોપાશમાં લઇ લીધી હતી, અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું,
જે બાદ આ ફરિયાદ મોડી દાખલ થવા પાછળનું કારણ કઈક એવું છે કે સંતે પરિણીતાને ધમકી આપેલ કે જો આ બાબતે કોઈને જાણ કરશો તો તાંત્રિકવિધિ કરીશ, અને અન્ય અનુયાયીઓને કહી તમને નુકશાન પહોચાડીશ તેવી ધમકીઓ આપતા હોય જે મતલબની ફરિયાદ જોડિયા પોલીસ મથકમાં નોંધાતા પી.એસ.આઈ.મેઘરાજસિંહ વાળા સહિતનો સ્ટાફ આ મામલે તપાસ ચલાવી રહ્યો છે.