Mysamachar.in-જામનગર
જામનગર શહેરના 49 દિગ્વિજય પ્લોટમાં મોડપીર દાદાના મંદિર નજીક વસવાટ કરતા મહેન્દ્રભાઈ મંગેએ પોતાની પત્ની કીર્તિબેનનું મંગલસુત્ર ગીરવે રાખેલ હોય જે ગીરવે હોય ત્યાંથી છોડાવવા માટે ઉછીના પૈસા લઇ મંગલસુત્ર લાવી આપેલ જે મહેન્દ્રભાઈના પત્ની કીર્તિબેનને ખબર પડતા તેને આ બાબત મનમાં લાગી આવી હતી જેથી ઘરે કાંઇક પી જતા સારવારમા જી.જી.હોસ્પિટલમા લઈ જતા સારવાર દરમ્યાન મરણ ગયાનું પોલીસનોંધમાં જાહેર થયું છે.