Mysamachar.in-જામનગર
સરકાર દ્વારા ફુડ સેફટીનો કાયદો અમલમા છે, દરેક જરૂરીયાતમંદને અનાજ કઠોળ વગેરે સાવ નજીવા દરે મળે તેમજ જરૂરીયાતમંદોને ઘરમા પુરતુ અનાજ રસોઇ કરવા મળી રહે તેની વ્યવસ્થાઓ પણ કરાઇ છે, ત્યારે રેશનકાર્ડ ધારકોને ખરેખર કેટલુ અનાજ વગેરે મળે તેમજ ક્યારે મળે તેમજ ક્યા સમયે મળે વગેરે બાબતોની ખબર જ હોતી નથી માટે આ બાબતોની જાણકારી આપવાની લગત તંત્ર એટલે કે પુરવઠાતંત્રની અને વોર્ડ ધારકોની છે, છતાય જામનગર શહેર તેમજ આજુબાજુના અનેક ગામોના દરેક નાગરીક પોતાને કાર્ડ ઉપર શુ મળે કેટલુ મળે તે જાણતા નથી હોતા તેમજ કોઇ ગંભીરતા લઇ જણાવતુ પણ નથી માટે જરૂરિયાત હોવા છતા લોકોને અનાજ વગેરે મળતુ નથી કાંતો પુરતુ મળતુ નથી એવી ગંભીર બાબતો અનેક વિસ્તારોમાંથી સર્વેક્ષણ દરમ્યાન સામે આવી છે જે ચિંતાની બાબત છે શરમજનક છે અને પગલા લેવાને પાત્ર છે, છતાં પુરવઠા વિભાગ કોઈ કારણોસર ગેરરીતિઓ સામે હોવા છતાં મૌન બેઠું છે, તે શા માટે…??
માટે કોઇ વોર્ડધારક ગેરરિતી કરે તો તે તેમજ લગત તંત્રના જે કોઇ તેને છાવરવા આંખ આડા કાન કરતા હોય તે તમામના કરતુતોના પર્દાફાશ થઇ શકે તેટલી સંવેદનશીલ બાબતો બહાર આવી છે અને હજુ વધુને વધુ ખુલાસાઓ થવા જઈ રહ્યા છે, હવે સામાન્ય રીતે જોઇએ તો અન્નપુર્ણા યોજના હેઠળ કાર્ડ હોય તેમને ઘરમાં માથા દીઠ દોઢ કીલો ચોખા રૂપિયા ત્રણના કિલો ઘઉં માથા દીઠ સાડા ત્રણ કિલો બે રૂપિયા લેખે કિલો તેમજ બીપીએલ ને પણ આ જ રીતે ઉપરાંત માથાદીઠ સાડાત્રણસો ગ્રામ ખાંડ મળે છે અને અંત્યોદય કાર્ડ હોય તેમને પચીસ કીલો ઘઉ દસ કિલો ચોખા તેમજ ખાંડ મળે છે.
હવે જે તમારી પાસે રાશનકાર્ડ છે અને તમે સરકારી અનાજનો જથ્થો લો છો તમારે નક્કી કરવાનુ છે કે દરમહિને આ રીતે બધુ જ પુરતુ મળે છે? કે ઓછુ મળે છે? અને સારી ક્વોલીટીનુ મળે છે ?? વજન બરાબર હોય છે?? વોર્ડમાંથી કોમ્પ્યુટરાઈઝ બીલ મળે છે?? પીવાના પાણી વેઇટીંગ વગેરેની પુરતી વ્યવસ્થા મળે છે?? વગેરે અનેક બાબતો છે તે બધી જ જાણવી અને વોર્ડ કે કચેરીઓમાથી પણ કાર્ડ પર શુ-શુ મળે ક્યારે મળે તે પણ પુછીને જાણતુ રહેવુ જોઇએ અને જો નિયમિત આ રીતે ને આ પ્રમાણે ના મળતુ હોય તો ઝોનલ કચેરી લાલબંગલા કે મામલતદાર કચેરી શરૂસેક્શન રોડ સેવા સદનમાં કે જિલ્લા પુરવઠા કચેરી શરૂસેક્શન રોડ જિલ્લા સેવા સદનમા બીજા માળે જઇ ફરિયાદ કરી શકે અથવા અરજી લખી પોસ્ટ કરી શકે અથવા આર.ટી.આઇ. કરી શકે પરંતુ સૌ પ્રથમ મૌખીક ફરિયાદ તો એક વખત કરી તેની નોંધ રાખવી કે શુ ફરિયાદ કરી અને બાદમા જે તે કચેરીએ શું પગલા લીધા?? (કારણ કે આ કચેરીએ પાછલા સમયમાં કોઈ ઠોસ પગલા લીધા હોય તેવું સામે આવતું નથી) કેમકે પોતાના હક માટે પોતે જ જાગૃત થવુ પડે તે કક્ષાની અનિયમિતતાઓ ઘણા સસ્તા અનાજ વોર્ડમા આટો લઇ ગઇ છે જે સક્ષમ ઓથ વગર શક્ય નથી તેમ પણ સુત્રોએ ઉમેર્યુ છે.