Mysamachar.in-જામનગર:
સૌરાષ્ટ્રની ધરતીના પડમાં છેલ્લા કેટલાય સમયથી સામાન્ય હિલચાલ ચાલી રહી છે, અને આ હિલચાલની અસર સ્વરૂપ જામનગરમાં અવારનવાર ભૂકંપના આંચકાઓનો અનુભવ લોકો કરે પણ છે અને નથી પણ કરતા….એવામાં છેલ્લા ત્રણ દિવસમાં જ ભૂકંપના સામાન્ય કહી શકાય તેવા પાંચ આંચકાઓ જામનગર જીલ્લાની આસપાસ નોંધાયા છે,સદનસીબે કોઈ જાનહાની નથી..૨૯ ડીસેમ્બરના રાત્રીના ૧૧ કલાકે ૨.૩ અને ૨.૫ ની તીવ્રતાના આંચકાઓ પાંચ મીનીટની અંદર નોંધાયા હતા, તો ૩૧ ડીસેમ્બરના મોડીરાત્રીના એટલે કે ૨:૪૪ થી ૨:૪૭ સુધીમાં ૨.૩ અને ૧.૯ ની તીવ્રતાના આંચકા તો નવાવર્ષની રાત્રીએ એટલે કે ગતરાત્રીના ૨:૦૨ ૨.૯ ની તીવ્રતાનો આંચકો નોંધાયાનું સામે આવ્યું છે.