Mysamachar.in-જામનગર:
રાજ્યમાં મહિલા અને બાળ કલ્યાણની અનેક ગુલબાંગો સાંભળવા મળતી હોય છે, પણ આ રાજ્યમાં જ માસુમ ભૂલકાઓ માટેની આંગણવાડીઓની હાલત કેવી છે, તે અંગે વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન જામજોધપુર ધારાસભ્ય ચિરાગ કાલરીયાએ પ્રશ્ન ઉઠાવતા આ મામલે ચોકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે, ધારાસભ્ય ચિરાગ કાલરીયાએ જામનગર અને દેવભૂમિ દ્વારકામાં આંગણવાડીઓની સ્થિતિ અંગે સવાલ ઉઠાવી પૂછ્યું હતું કે તા. 31-12-2021ની સ્થિતિએ….
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લાવાર કેટલી આંગણવાડીઓ કાર્યરત છે,જેના જવાબમાં જામનગર જિલ્લામાં- 888 આંગણવાડીઓ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં-691 આંગણવાડીઓ, તો આ પૈકી જિલ્લાવાર કેટલી આંગણવાડીઓ ભાડાના મકાન કે અન્ય જગ્યાએ ચાલે છે, અને જે આંગણવાડીઓને પોતાનું મકાન નથી તેમને સત્વરે મકાન આપવા છેલ્લા બે વર્ષમાં સરકારે શું પગલાં લીધા.? તેના જવાબમાં સામે આવ્યું કે જામનગર જિલ્લામાં-185 આંગણવાડીઓ જયારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં-129 આંગણવાડીઓ.ભાડાના મકાનોમાં કે અન્ય જગ્યાઓએ ચાલે છે, જયારે સરકારે ધારાસભ્યને વધુમાં જવાબ આપતા કહ્યું કે આંગણવાડી માટે જમીન મળ્યેથી વિવિધ સરકારી યોજનાઓ અંતર્ગત બાંધકામ માટેની કામગીરી હાથ ધરવામાં આવશે.