Mysamachar.in-જામનગર
આ વર્ષે ચોમાસાની શરૂઆત સારી રહી ડેમોમાં થોડુંઘણું પાણી પણ આવ્યું પણ બાદમાં લોકો રાહ જોઇને બેઠા છે આગાહીઓ થાય છે, પણ સાચી ઠરતી નથી…ત્યારે જામનગર શહેરને પાણી પૂરું પાડતા ડેમોમાં જળસપાટી નીચે જવા લાગી છે, અને હજુ પણ જો વરસાદ નહી આવે તો ડેમોમાં ક્યાં સુધી ચાલે તેટલું પાણી અને પછી શું તે અંગેનો સચોટ અહેવાલ તૈયાર કરવા my samachar એ જામનગર મહાનગરપાલિકાની વોટરવર્કસ શાખાના કાર્યપાલક ઈજનેર પી.સી.બોખાણી સાથે ખાસ વાતચીત કરી જે દરમિયાન તેવોએ માહિતી આપતા જણાવ્યું કે..
-હાલ શહેરમાં પાણી વિતરણ કરવા 125 MLD પાણી કેવી રીતે મળે છે.?
જામનગર શહેરમાં પાણી વિતરણ કરવા માટે દૈનિક 125 MLD પાણીની જરૂરિયાત રહે છે, જેમાં હાલની એટલે કે આજની સ્થિતિએ રણજીતસાગર, ઊંડ-1 અને સસોઈડેમમાંથી 25-25 MLD, આજી-3 ડેમમાંથી 38 MLD અને નર્મદામાંથી 12 થી 15 MLD પાણી મેળવી વિતરણ કરવામાં આવે છે,
-હાલ કેટલું પાણી ક્યાં ડેમમાં અને ક્યાં સુધી ચાલશે.?
રણજીતસાગર ડેમમાં હાલ 17 ફૂટ અને 390 MCFT પાણીનો જથ્થો 31-10-2021 સુધી ચાલશે
સસોઈ ડેમમાં હાલ 9 ફૂટ અને 222 MCFT પાણીનો જથ્થો 15-10-2021 સુધી ચાલશે
ઊંડ-1 ડેમમાં હાલ 15 ફૂટ જે પાણીનો જથ્થો 28-2-2022 સુધી ચાલશે
આજી-3 ડેમમા હાલ 22 ફૂટ અને 1150 MCFT જથ્થો છે જે 28-2-2022 સુધી ચાલશે
આ તો હાલનો જથ્થો અને ક્યાં સુધી ચાલશે તેની માહિતીની વાત થઇ એવામાં જે રીતે આ વર્ષે વરસાદી સીસ્ટમ સક્રિય થતી દેખાતી નથી તેને જોતા જો સંભવત:વરસાદ ના પડે તો રણજીતસાગર અને સસોઈ ડેમ ખાલીખમ થઇ જશે અને શહેરને પાણી પૂરું પાડતા અન્ય બે ડેમો અને નર્મદાના નીર પર જામનગર શહેર આધીન થઇ જશે.પણ સૌ શહેરીજનો પ્રાર્થના કરે કે જામનગર સહીત સમગ્ર રાજ્યમાં કુદરત મહેર કરે અને જળાશયો છલકી ઉઠે તો પાણીની કોઈ સમસ્યા ઉભી નહી થાય નહિતર આવતા ચોમાસા સુધીનો સમય કદાચ પીવાના પાણીને લઈને કપરો પણ બની શકે.