My samachar.in : જામનગર
જામ્યુકોમા “કચરા”નુ કામ કરનાર કંપનીને હાથના કર્યા હૈયે વાગ્યા!? એવો સવાલ સહેજે થાય તેવો ઘાટ ઘડાયો છે, કેમ કે કોર્પોરેશન પાસેથી ( જામનગરની જનતાએ પેટે પાટા બાંધી વેરા અને દંડ ભર્યા છે તેમાંના જ…) જંગી નાણા ખંખેરીને નિયમ નેવે મુકનાર સોલિડવેસ્ટના કોન્ટ્રાક્ટરનો સ્ટાફ અસુવિધાઓ અને અગવડ તેમજ ત્રાસ અનુભવે છે તે અંગે આંદોલન શરૂ થયુ છે ત્યારે આ સંજોગોમા મોઢા સંતાડતા કોર્પોરેશનના સોલીડ વેસ્ટના અધિકારીઓ કોન્ટ્રાકટરનો ક્યાં સુધી બચાવ કરશે? જેનો બચાવ કરો છો તેના કર્મચારીઓની વેદના કોર્પોરેશનના જવાબદારોના જુઠાણા ખુલ્લા પાડે છે. ત્યારે આ અગવડતાઓની વાત કરતા અને લખતા શ્રમીકોએ જણાવ્યુ હતુ કે “અમારી પાસે વજન વધારવા કેરણ ભરાવવામાં આવે છે” ઉપરાંત, સેફટી સુવિધાના સાધનો આપવામાં ના આવતા હોવાનો પણ આક્ષેપ થયો છે.
જામનગર મહાનગરપાલિકામાં સોલીડ વેસ્ટ વિભાગના અધિકારીઓને જે કંપનીઓ પર પ્રેમના ઉભરા આવે છે અને જેના માટે તાજેતરમાં જ મનપાની સ્ટે.કમિટીએ ચેર પરથી 11.32 કરોડનો ખર્ચ મંજુર કર્યો તે કંપની તેના કામદારોની સુખ સુવિધા માટે કેટલી સજ્જ છે તે એક કંપનીનું ઉદાહરણ આજે સામે આવ્યું છે. જયારે બીજામાં આવી જ ચહલ પહલ ચાલી રહી છે, આજે પાવરલાઈન્સ નામની એજન્સી જે પણ જામનગરના કેટલાક વોર્ડમાં ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાની કામગીરી સંભાળી રહી છે તે કંપનીના કામદારોની આંતરડી જાણે કકડી ઉઠી હોય તેમ કંપનીના કર્મચારીઓએ વિસ્તૃત રજૂઆત કરતો પત્ર આપી અને લડી લેવાની તૈયારી પણ દર્શાવી છે.રજુઆતમાં જે ગંભીર મુદ્દ્દોનો સમાવેશ થાય છે તેમાં લખ્યું છે કે અમારી પાસે વજન વધારવા કેરણ ભરાવવામાં આવે છે. કંપની દ્વારા કર્મચારીઓને કોઈ સેફ્ટીનાં સાધનો કે અન્ય સુવિધાઓ આપવામાં આવતી નથી હવે આવી ગંભીર કામગીરી કરનારને જો કોઈ સાધન સુવિધા આપવામાં ના આવે અને કાઈ થાય તો જવાબદાર કોણ..? પાવર લાઈન કંપનીમાં કામ કરતા કર્મચારીઓનું કઈ રીતે શોષણ કરવામાં આવે છે અને તેની શું રજૂઆત છે તેના પર અક્ષરશ: નજર કરવામાં આવે તો તે આ પ્રમાણે છે….
જામનગર મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર અને જામનગરના તમામ પ્રકારના કચરાના નિકાલ માટે જામનગર માટે પાવર લાઈન નામની કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ અને જેના કોન્ટ્રાકટર મનોજભાઈ પરીખ છે અને આ પાવર લાઈન નામની કંપનીમાં છેલ્લા ઘણા વર્ષોથી વાલ્મિકી સમાજના અને અન્ય સમાજ પણ સફાઈ કામદારો અને કામ કરે છે જેઓને વર્ષોથી અન્યાય કરવામાં આવી રહ્યો છે અને કંપની નાં માલિક મનોજભાઈ પરીખ અને મેનેજર રમેશભાઈ આહીર દ્વારા તાનાશાહી અને ગુંડાગર્દી જેવા વર્તન કરવામાં આવે છે અને કર્મચારીઓ સાથે ગુલામ જેવું વર્તન કરે છે જેમાં કર્મચારીઓને
– સમયસર લઘુતમ વેતન મુજબ પગાર આપવામાં નથી આવતો
– છેલ્લા ૧૨ બાર મહિનાથી કોઈપણ પ્રકારના વધારા કે એલાઉન્સ
– જ્યારે ભારત સરકારના નિયમ મુજબ કોઈપણ પ્રકારના કર્મચારીઓ જેમકે ગવર્મેન્ટ કે કોન્ટ્રાક્ટ માં કામ કરતા હોય તેઓના પી એફ ( PF) ફરજિયાત કાપવાના હોય અને તમામ કર્મચારીઓના યુ એન એ નંબર આપવા હોય જે આ પાવર લાઈન નામની કંપનીનાં માલિક દ્વારા નથી કાપવામાં આવતા અને આ કર્મચારીઓ સાથે અન્યાય કરવામાં આવે છે
– પાવર લાઈન નામની કંપનીનાં મેનેજર રમેશભાઈ આહીર દ્વારા ગમે ત્યારે કોઈપણ કર્મચારીઓ ને કોઈપણ કારણ વગર છૂટા કરવા કરવાની ધાક ધમકીઓ અને છૂટા કરવામાં આવે છે
– પાવર લાઈનના મેનેજર રમેશભાઈ આહીર દ્વારા કચરાનો વજન વધારવા માટે માટી પથ્થર અને અન્ય પ્રકારના કેરણ સફાઈ કામદારો પાસે બળજબરી પૂર્વક ભરાવવામાં આવે છે અને આમ નહિ કરો તો છૂટા કરવાની ધમકીઓ આપવામાં આવે છે.
– પાવર લાઈન નામની કંપની દ્વારા જ્યારે કર્મચારી ચાલુ ફરજ દરમિયાન કોઈ પણ પ્રકારના અકસ્માત કે એક્સિડન્ટ થાય ત્યારે કોઈપણ પ્રકારની જવાબદારી લેતા નથી અને જો કર્મચારીઓને ચાલુ ફરજ દરમિયાન કોઈ પણ જાતની ઈજાઓ થાય છે ત્યારે પાવર લાઈન નામની કંપની દ્વારા કોઈ પણ જાતની મેડિકલ કે પ્રાથમિક સારવાર ખર્ચ કે રજાઓ આપવામાં નથી આવતી અને બધું ભારણ કર્મચારીઓ ઉપર થોપિદેવામાં આવે છે
– પાવર લાઈન નામનીના મેનેજર રમેશભાઈ આહીર પોતાની જોહુકમી અને તાનાશાહી ગુંડાગર્દી અભદ્રતા અને કર્મચારીઓને ધાક ધમકીઓ આપવામાં આવે છે અને તમારે કામ કરવું હોય તો કરો બાકી નોકરી છોડી સકો છો અને બહારથી ગોધરા બોલાવી લઈશું એવું પાવર લાઈન નામની કંપની નાં માલિક મનોજભાઈ પરીખ અને મેનેજર રમેશભાઈ આહીર દ્વારા કહેવામાં આવે છે
-કંપની દ્વારા કર્મચારીઓને કોઈ સેફ્ટી નાં સાધનો કે અન્ય સુવિધાઓ આપવામાં આવતી નથી. પાવર લાઈન નામની કંપનીનાં મેનેજર રમેશભાઈ આહીર કંપનીને પણ ઘણી પ્રકારની નુકસાનીનો અને ભ્રષ્ટાચાર અને ડીઝલની હેરા ફેરીઓ માં રંગે હાથે પકડી પાડેલા છે અને માટે આ અમારી માંગણીઓ જ્યાં સુધી સ્વીકારવામાં નહિ આવે અને પાવર લાઈન નામની કંપનીનાં મેનેજર રમેશભાઈ આહીરને છુટા કરવામાં નહિ આવે ત્યાં સુધી આ અમારું આંદોલન ચાલુ રહેશે અને જો આંદોલન દરમિયાન જો કંપની દ્વારા બહાર થી માણસો બોલાવી કામ કરાવવામાં આવશે તો અમોએ ના છૂટકે આંદોલન ઉગ્ર બનાવવાની ફરજ પડશે જેની તમામ પ્રકારની નુકસાનીનો આવશે તેની સંપૂર્ણ જવાબદારી જામનગર મહાનગર પાલિકાના મુખ્ય અધિકારીઓ અને પાવર લાઈન નામની કંપનીનાં માલિક મનોજભાઈ પરીખ ની રહેશે.
-શું કહે છે કંપની માલિક મનોજ પરીખ..
આ અંગે પાવરલાઈન કંપનીના માલિક મનોજ પરીખની ટેલીફોનીક પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેને કહ્યું કે કર્મચારીઓની રજૂઆત અયોગ્ય છે, તેવો કહે છે કે તમે સુપરવાઈઝર અને મેનેજરને બદલી નાખો, સમય કરતા મોડા આવવાની વાત કરે છે, જેને કારણે સોસાયટીઓ પૂરી થતી નથી, કામ યોગ્ય રીતે નથી કરતા અને ગમતા માણસો મુકવાની માગ કરે છે એવું શક્ય નથી
-નાયબ ઈજનેર મારા સુધી રજૂઆત નથી.
આવી.આ અંગે મનપાના નાયબ ઈજનેર દીપક શિંગાળા કહે છે કે મારા સુધી આ રજૂઆત પહોચી નથી પણ જાણવા મળ્યું કે આવો મામલો છે બન્ને પક્ષે સમાધાનની પ્રક્રિયા ચાલી રહી છે જોઈએ શું થાય છે.