My samachar.in: જામનગર
હાલમાં ચાલી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે ગઈકાલે જ રાજ્ય સરકાર દ્વારા આજે શનિવારની રજા જાહેર કરવામાં આવી છે, છતાં જામનગર શહેરના મહાપ્રભુજી બેઠક નજીક આવેલ રાધિકા સ્કુલના સંચાલકો જાણે સરકારની આ જાહેરાતથી અજાણ હોય તેમ વિદ્યાર્થીઓને શાળાએ અભ્યાસ માટે બોલાવ્યા હોવાની જાણ એબીવીપીના કાર્યકરોને થતા એબીવીપીના કાર્યકરો શાળા ખાતે પહોચ્યા હતા, ત્યારે શાળામાં આજે રજા જાહેર કરેલ હોવા છતાં ધોરણ 10 ના કેટલાક વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા જોવા મળ્યા હતા, અને જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા તેમાં સોશ્યલ ડિસ્ટન્સ પણ નહોતુ, આ અંગે એબીવીપીએ શાળા ખાતે પહોચી શાળા સામે સરકારના આદેશનો ઉલાળિયો કરવા અંગે કાર્યવાહીની માગ કરવામાં આવી છે,
તો આટલી મોટી શાળાના પ્રિન્સિપાલ શિવાની આચાર્યએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે અમને કોઈ ઓફિસિયલ લેટર મળ્યો નથી એટલે ચાલુ રાખી હવે આ જવાબ કેટલો યોગ્ય.? તેવોએ વધુમાં કહ્યું કે અમારી શાળામાં આજે 10 થી 15 વિદ્યાર્થીઓ ડાઉટ સોલ્વ કરવા માટે આવ્યા હોવાનું આચાર્યએ જણાવ્યું પરંતુ રાજ્ય સરકાર આટલી ગંભીર હોય છતાં શાળાઓ કેમ ગંભીર નથી બનતી તે સવાલ છે.હવે આ મામલે ખરેખર શાળા અજાણ હતી કે અજાણ બનવાનું નાટક કરતી હતી તે તો શિક્ષણાધિકારી કચેરીની તપાસ બાદ જ સામે આવશે.
-શું હતી શિક્ષણ વિભાગની જાહેરાત
મુખ્યમંત્રીના પરામર્શ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીનો શિક્ષણ વિભાગ સંલગ્ન તા.15/01/2022ને શનિવારના રોજ રજા જાહેર કરવાનો નિર્ણય
તા.14/01/2022ના રોજ ઉત્તરાયણના પર્વ નિમિત્તે રાજ્યમાં જાહેર રજા જાહેર કરવામાં આવેલ છે. ચાલુ નાણાકીય વર્ષમાં તા.16/01/2022ના રોજ પણ રવિવારની જાહેર રજા આવતી હોઇ રાજ્યની શાળાઓ અને કોલેજો (ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ)ના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ (સમગ્ર સ્ટાફ) અને વિદ્યાર્થીઓને સળંગ 3 રજાનો લાભ મળે અને પર્વની ઉજવણી તેઓ સારી રીતે કરી શકે તે ધ્યાને લેતાં શિક્ષણ વિભાગ હસ્તકની તમામ સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓ અને કોલેજો (ઉચ્ચ શિક્ષણ અને ટેક્નિકલ શિક્ષણ)મા તા.15/01/2022 ને શનિવારના રોજ રજા જાહેર કરવાનો નિર્ણય કરેલ છે.