Mysamachar.in-જામનગર:
માણસની કુટેવ તેને બરબાદ કરી નાખે છે, જામનગરમાં દારુ પીવાની આદતને કારણે પોતાની જિંદગી સહીત બધું જ ગુમાવવાનો વારો આવ્યો છે, જામનગર સીટી સી ડીવીઝન પોલીસ મથકે જાહેર થયેલ વિગતો મુજબ સરદાર પાર્ક-1 સાંઢીયાપુલ નજીક વસવાટ કરતા નિકુંજ અમૃતલાલ સોનગરા ઉ.વ.27 વાળાને દારુ પીવાની ટેવ હોય જેને કારણે તેની પત્ની એક વર્ષ પહેલા રીસામણે જતી રહી હતી અને તેના પિતાએ પણ અઢી મહિના પૂર્વે નિકુંજને ઘરમાંથી કાઢી મુકયો હોય જેને કારણે પોતે પોતાની જાતે ઝેરી દવાના ટીકડા ખાઈ જતા સારવાર દરમિયાન મોત નીપજ્યાનું જાહેર થયું છે.