Mysamachar.in-જામનગર:
આઝાદી કા અમૃત મહોત્સવ અને સ્વચ્છતા સર્વેક્ષણ 2022 અંતર્ગત સમયાંતરે મહાનગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે.આજે પણ હેરિટેજ વોક 1 નું આયોજન કરવામાં આવ્યું હતું.જેનો પ્રારંભ સ્ટે.ચેરમેન મનીષ કટારીયા સહિતના પદાધિકારીઓ દ્વારા પ્રારંભ કરાવ્યો… જેમાં મ્યુ.કમિશ્નર વિજયકુમાર ખરાડી સહિતના મહાનુભાવો પણ જોડાયા હતા.આજે યોજાયેલ હેરીટેજ વોક 1માં જામનગર શહેરના મહાનુભાવો, શ્રેષ્ઠીઓ, વડીલો, બાળકો તથા શહેરીજનો જોડાયા હતા
આજે યોજાયેલ હેરીટેજ વોક 1 અંતર્ગત રણમલ તળાવ, ખંભાળીયા દરવાજા, ભુજીયો કોઠો, આર્કીયોલોજીકલ મ્યુઝીયમ (લાખોટા કોઠા) સહિતના હેરીટેજ સ્થળોએ આપણા ઐતિહાસિક વારસા અંગેની માહિતી ઉપસ્થિતોને આપવામાં આવી હતી.અત્રે મહત્વનું છે કે આ સ્થળો પૈકીના મહત્વના સ્થળોનું મનપાની પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ શાખા દ્વારા રેસ્ટોરેશન કરવામાં આવ્યું છે.અને ભુજીયા કોઠાનું કામ હાલ ચાલી રહ્યું છે.