Mysamachar.in-જામનગર
જામનગર કોર્પોરેશન ટેકનીકલ યુનિયનની વ્યજબી કાયદેસરની અને વ્યવસ્થિત તેમજ નગરના હિતની મુદાસર રજુઆતો તેમજ રજુઆત કરવાની ડીસન્ટ સ્ટાઇલ વગેરે બાબતો ધ્યાને નહી લેવાય તો હવે નગરના વિકાસને તેમજ કોર્પોરેશનના ટેકનીકલ કામો બાબતો પર ગંભીર અસર થવાના અણસાર છે, કેમકે એક વર્ષથી તો જુદી જુદી રીતે રજુઆત થાય છે છતા ખાલી જગ્યા ભરાતી નથી તેથીય ગંભીર કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારી મહત્વના પ્રોજેક્ટ કામ વિકાસ બધુ જોએ તે ગંભીર કેટલુ હોય ચોકસ કેટલુ હોય અસરકારક કેટલુ હોય જવાબદારીવાળુ કેટલુ હોય તો વળી પ્રમોશન ન અપાયને ઢસરડા કરાવાય મહત્વની પોસ્ટ ખાલી રે કા ચાર્જમા ચાલે વગેરે બાબત ટેકનીકલ કે વહીવટી કોઇ વીંગમા ન જ ચાલે તે સમજી શકાય તેમ છે,
પરંતુ જામનગર કોર્પોરેશનની બલિહારી એ છે કે વહીવટી વડા સ્વતંત્ર નિર્ણય લઇ શકતા નથી તેની ઉપર અઘોષીત બોડી બહારની જેને સંકલન કહેવાય (શેનુ સંકલન કરે છે તે વળી અલગ છણાવટનો મુદો છે જે પણ રસપ્રદને ઘણુ છતુ કરે તેવા પ્રકરણો વાળુ છે તેમ ચબરાકોએ ટાપસીપુરી છે) તે છે નહી તો સનદી અધીકારી છે જાણે જ છે બધુ જુએ જ છે ને બધુ પરંતુ કઇક અંશે બંધાયેલા છે તો બીજી તરફ શાસકોમાથી મેઇન લોકો અંદર બેસતા કે બહાર બેસતા કે સુપર શાસકો સૌ મોટી બાબતે ખુબ ઢીલાશ સકારણ રાખી પ્રકરણો લંબાવ્યે જ જાય એમ કે તમે માંગો ને અમે આપી દઇએ તો તો ડીમાન્ડ પુરી થઇ જાય તો ઝુકવાનુ બંધ થય જાય તો વળી.આવી ચર્ચાઓ આ યુનિયન પ્રશ્ર્ને સાંભળવા મળી છે,
તેમજ આવી બાબતોના લાભ ગેરલાભ પણ રાજકારણમા કેન્દ્ર સ્થાને હોય ઘણી બાબતો આઉટ ઓફ વે થાય તે શક્યતાઓ ખુબજ રહેલી છેતેમ છતા પોઝીટીવ જઈ રહેલા ટેકનીકલ યુનિયનની પોઝીટિવ પ્રતિભાનુ ઉદાહરણ એ છે કે રજુઆતમા પહેલો મુદો તેમણે એ દર્શાવ્યો છે કે અ.મ.ઈ. માંથી 5 જુનિયર એન્જીનીયરોને સીનીયોરીટી કમ લાયકાતના ધોરણે પ્રમોશન આપેલ છે. તેમજ કોમ્પ્યુટર શાખામાં કોમ્પ્યુટર પ્રોગ્રામરની સિસ્ટમ એનાલીસ્ટ જગ્યા ઉપર રેગ્યુલર પ્રમોશન આપેલ છે તે બદલ જે.એમ.સી. ટેકનિકલ યુનિયન કમીશનરનો ખુબજ હદયપૂર્વક આભાર માને છે આમ શરૂઆત કરાઇ છે.. નહી તો માંગણીઓમા હકારાત્મકતાનો સારી બાબતનો સ્વીકાર મોટાભાગે નથી દેખાતો હોતો.
ઉપરાંત યુનિયનની રજુઆત આ ફરીથી થઇ રહી છે તેમા જણાવ્યા મુજબ છેલ્લા દોઢ વર્ષથી કોરોના વાયરસ મહામારીમાં આરોગ્ય શાખાના કર્મચારીઓ ખુબજ ખંતથી, નિષ્ઠાપૂર્વક અને મહેનતથી કામગીરી બજાવે છે. જેના પેન્ડીંગ પ્રશ્નો અન્વયે અગાઉ અવારનવાર રજૂઆત કરેલ છે. તેમ છતાં આજ દિવસ સુધી તેમના પ્રમોશનો આપવા તથા સોલીડ વેસ્ટ કર્મચારીઓના સુધારેલ પેબેન્ડ માફક પગાર વિસંગતતા દૂર કરવી. એવા અંદાજે 9 કર્મચારીઓ છે. જેને મહાનગરપાલિકા દ્વારા ખુબજ અન્યાય કરેલ છે જે અંગે યોગ્ય કર્મચારીઓના હિતમાં નિર્ણય લેવાય તેવી ૨જૂઆત છે. તથા 12 એસ.એસ.આઈ. અંદાજીત ઘણા વર્ષોથી એટલે કે, 7 કે 10 વર્ષથી કામગીરી કરે છે. કોરોના કાળમાં ખુબજ પ્રસંશનીય કામગીરી સોલીડ વેસ્ટ શાખા ધ્વારા કરવામાં આવે છે. આવા કર્મચારીઓને ઉમરને હિસાબે હવે બીજી કોઈ જગ્યાએ નોકરીની તક પણ પ્રાપ્ત થાય તેમ ના હોય અન્ય -કોર્પોરેશનમાં આવા કર્મચારીઓને કાયમી કરવા માટેની કાર્યવાહી કરવામાં આવેલ છે.
અવારનવાર રજૂઆત કરવામાં આવેલ છતા કોઈ નકકર કાર્યવાહી જામનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી નથી વળી 8 થી 10 વર્ષ કરતા વધારે સમયથી ફરજ બજાવતા હોઈ તેમનો પણ બીજી જગ્યાએથી નોકરી મેળવવાની તક જતી રહી હોઈ અને તમામ કર્મચારી મહેનતુ હોઈ 2 વખત સ્ટે. કમીટીમા સુઓમોટો ઠરાવ કરવામાં આવેલ છે. તેમ છતા યેનકેન પ્રકારે વહીવટી મંજૂરી નહીં આપીને આ તમામ કર્મચારીને અન્યાય કરવામાં આવી રહયો છે. જે તે વહીવટી મંજૂરી આપી ફિકસ રોજમદારમાં સમાવિષ્ટ કરવામાં આવે તેમ માંગણી કરી હવે યુનિયન ઉગ્ર બની ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવા સંકેત મળે છે અને 30 મે થી આંદોલનના અણસારનુ આયોજન જાણવા મળ્યુ છે.
-મુકેશ વરણવાને પોસ્ટીંગ કેમ નહી???
આસી. કમિશનર (ટેકસ) ની જગ્યા માટે મુકેશ વ૨ણવાનો ઠરાવ જનરલ બોર્ડમાં થયેલ છે. જેનો લીગલ અભિપ્રાય લેવાઈ ગયેલ હોવા છતા આજ દિવસ સુધી જનરલ બોર્ડ ઠરાવની અમલવારી ન કરીને કાયમી નિમણૂંક ન આપીને ખુબજ અન્યાય કરેલ છે. તેને યોગ્ય ન્યાય મળે તેવી માંગણી અને રજૂઆત વધુ એક વખત થઇ છે ઉલ્લેખનીય છે કે કોર્ટે તેમજ સરકારે પણ આ અમલ કરવા આદેશ કરેલા છે છતા અહીથી આ બધુ રોકે છે કોણ???
-કાર્યપાલકના ચાર્જ નથી જોઇતા….! સેટઅપ ક્યા અટવાણું.?
જામનગર મહાનગરપાલિકામાં છેલ્લા 7 માસથી ઈન્ચાર્જ કાર્યપાલક ઈજનેરની પોસ્ટ ઉપ૨ 3 કર્મચારીઓને ચાર્જ આપેલ છે. જે પૈકી 2 ઈન્ચાર્જ કાર્યપાલક ઈજનેરને ચાર્જ એલાઉન્સ પણ હજુ સુધી આપવામા આવેલ નથી. માટે ચાર્જ પરત લેવામા આવે તેવી માંગણી છે.તેમજ જગ્યા ખાલી હોવા છતા ઈન્ચાર્જથી વહીવટી ચલાવવો વ્યાજબી ન હોય આ અંગે છેલ્લા છ માસમા ઘણીબધી વખત રજૂઆતો કરેલ છે. જેનો કોઈ હકારાત્મક પ્રતિભાવ મળેલ નથી. તેમજ વર્ષ 2015 માં જનરલ બોર્ડ દ્વારા મંજૂર કરવામાં આવેલ સેટઅપ વર્ષ 2021 સુધી 7 વર્ષ સુધી સરકારઓની મંજૂર થઈને શહેરી વિકાસ વિભાગમાંથી ન આવે તો તે કેવુ કહેવાય તે પ્રશ્ન પણ આ અસંતોષ સાથે ઉઠ્યો છે.