Mysamachar.in-જામનગર
ગુજરાત હાઉસિંગ બોર્ડની જામનગરમાં આવેલ કેટલીય વસાહતોમાં કેટલુય બાંધકામ ગેરકાયદેસર છે, તે સૌ જાણે છે.. અને ત્યાં ક્યારેય કોઈ કાર્યવાહી થઇ હોવાનું ધ્યાને આવતું નથી, પણ રણજીતનગરમાં ચોક્કસ પ્રોજેક્ટ માટે હાઉસિંગબોર્ડ અને સ્થાનિક ભાજપના એક નેતા ઘણા સમયથી વધુ પડતો રસ લઇ રહ્યું હોય તેમ લાગે છે, એવામાં ગઈકાલે જામનગરના રણજીતનગર વિસ્તારમાં ચાલી રહેલ ચર્ચાઓ મુજબ ગઈકાલે થયેલ ડીમોલીશનમાં જામનગર ભાજપના એક સ્થાનિક નેતાના નજીકના સબંધી આ રી-ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ સાથે જોડાયેલ હોય તેમાં હિત હોવાથી થયું હોવાની ચર્ચાઓ સાંભળવા મળે છે.
વાત કઈક એવી છે કે ગઈકાલે જામનગર શહેરના રણજીતનગર વિસ્તારમાં આવેલ 4 જેટલી દુકાનોનું ડીમોલીશન મનપાની ટીમ સાથે કરવામાં આવ્યું, આ ડીમોલીશન થયા બાદ આ વિશાળ જગ્યા પર રી ડેવલોપમેન્ટનો એક પ્રોજેક્ટ થવાનો છે. અને તેના માટે જ આ ડીમોલીશન થયું છે. પણ જે રીતે વિગતો જાણવા મળે છે તે પ્રમાણે જામનગર ભાજપના એક સ્થાનિક નેતાના નજીકના સગા રી-ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા હોય ડીમોલીશનની આગલી રાતે બે નેતાઓ વચ્ચે ટેલીફોનીક વાતચીતમાં ભારે ગરમાગરમી થઇ હતી….હા જે કાઈ હોય પણ આજ નહિ તો કાલે એ નેતાનો ચહેરો અને આ વાત કેટલી સાચી તે સામે આવી જ જશે.