Mysamachar.in-જામનગર
જામનગર ભાજપ શહેર કિશાન મોરચા મંત્રી અને રઘુવીર તથા ઈવા પાર્ક ચેરીટેબલ ટ્રસ્ટના યુવા પ્રમુખ અને સતત લોકો માટે દોડતા હસમુખભાઈ પેઢડીયા સારો કે ખરાબ કોઈપણ પ્રસંગ હોય હમેશા તેવો લોકોની સાથે રહી અને લોકોને જરૂરી મદદ કરતા રહે છે, તે તેનું સૌથી મોટું જમાપાસું છે અને માટે તેવો લોકપ્રિય બની રહ્યા છે, તાજેતરમાં જ વરસાદી આફત આવી પડતા સવારથી વરસાદ વરસી રહ્યો હતો કારણ કે રાતભર વરસાદ ચાલુ રહ્યો હોય ત્યારે રણજીતસાગર રોડ પર આવેલ આશિર્વાદ 2- આર્યપાર્ક, મંગલધામ અને સરદાર પાર્ક સહિતના વિસ્તારોમાં ઘરમાં પાણી ભરાઈ જવાથી લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા, ઘરવખરીને ભારે નુકશાન થયું હતું, અને અંદર જમવા સહિતની વ્યવસ્થા પણ લોકો માટે ના હોય તેમને કોઈપણ ભોગે ફૂડ પેકેટ પહોચાડવાની વ્યવસ્થા ટીમ હસમુખ પેઢડીયા દ્વારા કરવામાં આવી હતી,
શહેરમાં લોકોને જરૂરી મદદ બાદ હસમુખભાઈ ધુલશીયા અને ધુતારપુર વિસ્તારમાં પણ પહોચ્યા હતા અને ત્યાં અસરગ્રસ્ત વિસ્તારના લોકોને મળી અને સરકાર સુધી રજૂઆત કરવાની ખાતરી આપી હતી, અને બીજા દિવસે પોતાના તેમજ મિત્રમંડળના અંદાજે 3 લાખ જેટલા ખર્ચે રાશન કીટ અને તૈયાર ફૂડ પેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આજે પણ કાલાવડ તાલુકાના બાંગા ગામે લોકોને રાશનકીટની જરૂરિયાત હોય તેવોને પણ 100 જેટલી રાશનકીટ સ્વખર્ચે પહોચાડી હતી અને શહેર વિસ્તાર માટે પણ 100 જેટલી રાશન કીટ ભાજ્પ શહેર કાર્યાલય ખાતે પહોચતી કરી અને સેવાનું એક અનોખું ઉદાહરણ કપરા સમયમાં પૂરું પાડ્યું હતું. અને આગામી સમયમાં પણ જયારે લોકોને કોઈપણ મદદની જરૂર પડશે ત્યારે તેવો શક્ય તમામ મદદ કરશે તેવો કોલ પણ આપ્યો હતો,