My samachar.in:-જામનગર
જામનગર ઉતર વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા જેવો ને સૌ હકુભાના નામથી જાણે છે, તે ધાર્મિક કાર્યો અને પોતાના સાદગીભર્યા જીવન માટે જાણીતા છે. તેમના દ્વારા જામનગરની ધરતીને વધુ પાવન કરવા તેમના દ્વારા ચાલતા શ્રી ભાગ્યલક્ષ્મી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા(હકુભા)ના પરિવાર દ્વારા તેમના માતા મનહરબા મેરૂભા જાડેજાના આશિર્વાદથી શ્રીમદ્ ભાગવત કથા મહોત્સવનું ભવ્ય આયોજન જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલ છે, કથાનો પ્રારંભ વિક્રમ સંવત 2078 વૈશાખ સુદ એકમ તા.01/05/2022 રવિવારે કથાશ્રવણનો સમય સવારે 9 થી બપોરે 1 કલાક સુધી રહેશે. આ કથા માટે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે વિશાળ ડોમમાં આયોજન કરવામાં આવેલ છે.મહત્વની વાત એ છે કે..
જામનગર શહેર અને જીલ્લામાં એક દાયકા બાદ વ્યાસપીઠ ઉપરથી ભાગવતાચાર્ય પ.પુ ભાઈશ્રી રમેશભાઈ ઓઝાને રૂબરૂ સાંભળવાનો એક લ્હાવો મળનાર છે સાથે-સાથે જામનગર ખાતે યોજનાર આ ભાગવત કથા એ જામનગર શહેર અને જીલ્લા માટે ધર્મની હેલ્લી બની ગઈ છે.જામનગર શહેર અને જીલ્લામાં આ ભાગવત કથા દ્વારા ધર્મનો ઉત્સવ સમાન હોય ત્યારે કથા શ્રવણ કરવા માટે પુરતી વ્યવસ્થા એટલે કે શ્રોતાઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે માઈક્રોપ્લાનીંગ કરવામાં આવ્યું છે. સાથે સાથે મહાપ્રસાદમાં પણ ખુબ મુશ્કેલી ન પડે તે માટે સ્વયં સેવકોની જવાબદારી અલાયદી ઉભી કરવામાં આવી છે. આમ જોઈએ તો દેશ વિદેશમાંથી છોટીકાશીનું બીરુદ ધરાવતા આ જામનગરની પાવન ધરતી ઉપર આ ભાગવત કથાના સ્થળે અનેક સંતો મહંતો આ કથા દરમ્યાન ખાસ ઉપસ્થિત રહી આશિર્વાદ આપશે.જેથી આ ભાગવત કથાના યજમાન ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા(હકુભા) દ્વારા આ કથા લોકોને અર્પણ કરાઈ છે. ત્યારે જામનગર શહેર અને જીલ્લા તેમજ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આ કથાને લઈને ધર્મની હેલ્લી ઉઠી છે..
શ્રીમદ ભાગવત કથા સપ્તાહના વ્યાસપીઠ ઉપર કથાના વકતા સિધ્ધ ઋષિતુલ્ય પં.પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝા વ્યાસષાસન ઉપર બીરાજી પોતાની ઓઝસ્વી અને તેજસ્વી સુમધુર રસમયી વાણીમાં ભાગવત પીયુષમાન કરાવશે. પરમાત્મામાં પ્રિતી કરાવનારી, હદયમાં ભકિતનો પ્રભાવ વધારનારી, પાપસમુહનો નાશ કરનારી, તન,મનને શ્રી કૃષ્ણરસમાં નિમજન કરાવનારી, પવિત્ર ભાગવત કથાનો પ્રારંભ એટલે કે શ્રી પોથીજી યાત્રાથી થશે તા.01/05/2022ના રોજ વૈશાખ સુદ એકમ રવિવારના રોજ મનહરવિલા નિવાસ સ્થાનથી પોથીયાત્રા પ્રદર્શન ગ્રાઉન્ડ કથા સ્થળ સુધી જશે સાથે હેલીકોપ્ટરથી પુષ્પવર્ષા થશે અને તા.05/05/2022 ભગવાનશ્રી કૃષ્ણનો જન્મોત્સવ તા.06/05/2022ના રોજ ગો-વર્ધન પુજા કરાશે જયારે રુક્ષ્મણી વિવાહ તા.07/05/2022ના રોજ અને કથાનો વિરામ 08/05/2022ને રવિવારના રોજ થશે..
આ કથા સાથે-સાથે લોકડાયરાનું પણ આયોજન કરેલ છે જેમાં તા.01/05/2022ના રોજ રાત્રે 9 કલાકે કલાકાર તરીકે લોકસાહિત્યકાર દેવાયતભાઈખવાડ, લોકગયાયિકા અલ્પાબેન પટેલ, તા.02/05/2022ના રોજ રાત્રે 9 લોકસાહિત્યકાર દેવરાજભાઈ ગઢવી, લોકગાયિકા લલીતાબેન ઘોડેદરા, તા.03/05/2022ના કલાક રોજ રાત્રે 9 કલાકે હાસ્ય કલાકાર સાંઈરામભાઈ દવે, લોકસાહિત્યકાર બ્રિજદાનમાઈ ગઢવી, તા.04/05/2022ના રોજ રાત્રે 9 કલાકે લોકસાહિત્યકાર લાખણસીભાઈ ગઢવી અને અનુભા ગઢવી, તા.05/05/2022ના રોજ રાત્રે 9 કલાકે ખાસ તેમજ બહેનો માટે દાંડીયારાસમાં સપ્રસિધ્ધ લોકગાયક કિર્તિદાન ગઢવી, ગરબા કર્વિન કિંજલબેન દવે અને લોકગાયીકા નિશાબેન બારોટ રહેશે. તા06/05/2022ના રોજ રાત્રે 9 કલાકે શ્રીનાથજીની ભકિત સંગીતમાં લોકગાયીકા નિધીબેન ધોળકીયાના સંગાથે યોજાશે. તા07/05/2022ના રોજ રાત્રે 9 કલાકે લોકસાહિત્યકાર કિર્તિદાન ગઢવી અને માયાભાઈ આહિરના લોકડાયરાનું આયોજન કથા મંડપ સ્થળે વિશાળ ડ્રોમમાં કરેલ હોય તેમ કથાના યજમાન ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા (હકુભા) એ જણાવ્યું હતું. આ કથા દરમ્યાન દરરોજ બપોરે મહાપ્રસાદનું આયોજન બપોરે 1 કલાકે કરવામાં આવેલ છે.
આ કથાને માટે ખાસ વિશાળ ડોમ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ઉભા કરવામાં આવેલ છે જયાં ભાઈઓ અને બહેનો તેમજ સીનીયર સીટીઝન માટે બેઠક વ્યવસ્થા રાખવામાં આવેલ છે. આ કથા દરમ્યાન મેડીકલ સારવાર માટે મેડીકલ ટીમને પણ રાખવામાં આવેલ છે. શ્રી ભાગ્યલક્ષ્મી એજયકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા(હકુભા)એ જણાવ્યું હતું કે ભગવાન દ્વારકાધિશની અસીમ કૃપાથી અને માં આશાપુરાના આશિર્વાદ સાથે આ ભાગવત કથા મહોત્સવનું આયોજન કરેલ હોય તો આ કથામાં રસપાન કરવા જામનગર સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતની ધર્મપ્રેમી જનતાને આમંત્રીત કરૂ છું. આ કથા દરમ્યાન અનેક સંતો મહંતો સહિતના મહાનભાવો આ કથામાં ઉપસ્થિત રહેશે. કથા શ્રવણ બાદ મહાપ્રસાદ માટે વિદ્યોતેજક મંડળના મેદાનમાં અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે. આ સમગ્ર કથા દરમ્યાન તેમજ મહાપ્રાસદના આયોજન માટે 2000 થી વધુ સ્વયંસેવક ભાઈઓ-બહેનો સેવા આપશે. ભાગવતજીના દર્શન કરવા અને પં.પુ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની વાણીનું રસપાન કરવા ધર્મપ્રેમીઓને અનુરોધ કરવામાં આવ્યો છે.