Mysamachar.in:જામનગર
જામનગરમાં ઘણા સમય બાદ એક એવી ઉજવણી થઇ કે તેની સમીક્ષા રસપ્રદ બની રહી છે કેમકે એકી સાથે અનેક કાર્યક્રમ તે દરેક આયોજનબદ્ધ રીતે થયા અને જામનગરવાસીઓ ઉમળકાભેર તેમા જોડાયા હતા અને સમગ્ર ઉજવણી યાદગાર તો બનાવી સાથે સાથે અનેક લોકો આ બધુ જ જોઇને સ્તબ્ધ થઇ ગયા કે પ્રતિક્રિયા આપવાની સ્થિતિમા ન હતા પરંતુ કહે છે ને વનના રાજા તો રાજા જ રહે તે મુજબના અનેક મંતવ્યો પ્રાપ્ત થયા છે,
વાત જાણે એમ છે કે હિંદુ ધર્મ રક્ષક તથા અણનમ યોદ્ધા શ્રી મહારાણા પ્રતાપની 484 મી જન્મજયંતી નિમિત્તે જામનગર શહેર-જિલ્લા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ રાજપૂત સંસ્થાઓ દ્વારા હકુભા જાડેજા અને રીવાબા જાડેજાની રક્તતુલા ભવ્ય રેલી મહારાણા પ્રતાપની પ્રતિમાનુ અદકેરૂ સન્માન રાજપૂત સમાજનુ સમુહ જ્ઞાતિભોજન અને ભવ્ય લોકડાયરો જેવા લગલગાટ કાર્યક્રમો યોજાયા.
હવે જ્યારે જામનગરમાં મહારાણા પ્રતાપની જન્મજયંતિની જાજરમાન ઉજવણીના દિવસે હકુભાનો જન્મદિવસ કેવો યોગાનુયોગ….!! તેમજ પુર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા અને ધારાસભ્ય રીવાબાની રક્તતુલા અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી સંઘવી, ખોડલધામના નરેશ પટેલ સહિત મહાનુભાવોની ઉપસ્થિત રહી જે સોનામા સુગંધ ભળી અને આ ભવ્ય આયોજન માટે રાજપૂત સમાજની વિવિધ શાખાઓએ એક છત્ર હેઠળ જહેમત ઉઠાવી.
હવે આયોજન ટુંકમાં જોઇએ તો આ તકે રકતદાન-મહારેલી-સમાજ સમુહ ભોજન-વિવિધ સમાજના પ્રમુખો સાથે મિલન અને મોભાદાર જમણવાર-ભવ્ય લોકડાયરો વગેરે આયોજન થયા ત્યારે એક જ દિવસમાં આ બધુ જ શક્ય છે?? નથી તેમ છતા રાજપૂત સમાજના વડીલો યુવાનો સૌએ એવુ આયોજન કર્યુ કે જામનગરીઓને પણ મજ્જા પડી ગઇ હતી શહેરમાથી રક્તદાતાઓ સ્વયંભુ ઉમટી પડ્યા અને રક્તદાન કેમ્પમા નોંધપાત્ર રક્ત એકઠુ થયુ અને સૌ પ્રથમ વખત એક સાથે બે મહાનુભાવોની રક્તતુલા થઇ અને તો પણ રક્ત બોટલ વધી હતી આ શુ દર્શાવે છે?? ગતરોજ યોજાયેલ કાર્યક્રમો હકુભા જાડેજાની લોકપ્રિયતાની પારા શીશી છે તેમ રાજકીય વિશ્લેષકો જણાવીને ઉમેરે છે કે હકુભાનો દબદબો એવો જ છે કેમકે અમુક લોકપ્રીય નેતાને કોઇ ચુંટણી પદ કે સતાના સહારાની હંમેશા જરૂર નથી હોતી કેમકે તેઓ લોકોના દિલ ઉપર રાજ કરે છે તે જામનગરમા આ ઉજવણી વખતે વધુ એક વખત સાબિત થયું…
ધાર્મિકતા ઈશ્વર પરાયણતા દાતા લોકોની વચ્ચે રહેનારા હળતા મળતાને લોકોના કામ કરતા ગુજરાત સરકારના પુર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા જેઓ હકુભાના હુલામણા નામથી જાણીતા છે તેમના ભામાશા સ્વરૂપનો માત્ર રાજપૂત સમાજ જ નહી અનેક સમાજને અનુભવ છે અને આદર પણ છે આવી વ્યક્તિ હંમેશા પ્રથમ હરોળમા જ રહે છે તે વધુ એક વખત પુરવાર થયુ છે. અને માત્ર રાજપૂત સમાજ સમુહ જ્ઞાતિ ભોજન જે જામનગરમા પ્રથમ વખત થયુ તેના દાતા હકુભા હતા તેટલુ જ નહી આ તારીખ 22 મે 2023 ના મહારાણા પ્રતાપની જયંતિની ઉજવણીના અનેક આયોજનો થયા તેમા પણ અમુક આયોજનોમા હકુભાનો સહયોગ હોવાનુ જાણવા મળ્યુ છે.
હકુભાની રાજકીય સફર ખુબ દોઢ દાયકાથી એવી ટોચ ઉપર પહોંચી કે સૌ દંગ રહી ગયા છે. અનેક અગ્નિ પરીક્ષાઓએ હકુભાને વધુ મજબુત અને વધુ સક્ષમ કર્યા છે, અને લોકોનો પ્રેમ વધ્યો આ ક્યારે શક્ય છે ? જો વ્યક્તિ ધર્મને સાક્ષી રાખી ઇષ્ટમા શ્રદ્ધા રાખી આગળ ધપતા હોય તેમને શિવ અને શક્તિ બંનેના આશીર્વાદ મળે છે, માટે જ સમીક્ષકો કહે છે કે હકુભા સદાબહાર છે.
-હકુભાનો સદૈવ એક જ વિચાર આપણી લીટી મોટી કરો
જ્યારે કોઇ રાજકીય નેતાને કેન્દ્રમા રાખી કોઇ ભવ્ય આયોજન થાય તેમાય શાસક પક્ષના ગુજરાત પ્રદેશના પ્રમુખ આવે ગૃહમંત્રી આવે તેમજ ધામધૂમ હોય ત્યારે રાજકીય ગણીત ખુબ મુકાય છે જો કે હકુભાની લોકપ્રિયતા એટલા માટે છે કે તેમને હંમેશા એવુ કહ્યુ છે કે…આપણી લીટી મોટી કરો…અને તે રીતે આગળ ધપતા રાજકીય સફર જાજરમાન બનાવી છે તેની પ્રતિતિ સૌને થય છે તેમજ લોકપ્રિયતા વધતી જ જાય છે તે પણ સતા વગર….!! તે જ એક મોટું ઉદાહરણ છે.
-સર્વ સમાજમાં હકુભાનું માન…
પોતે જ સમાજમાંથી આવે તે રાજપૂત સમાજમા તો હકુભાનુ મોભાનુ સ્થાન છે જ સાથે-સાથે અનેક સમાજના તેઓ સપોર્ટર છે ને સૌને સાથે લઇ ચાલે છે કોઇના પતંગ કાપતા નથી ને પોતાનો પતંગ આભ ને આંબે છે ત્યા કોઇ પહોંચી શકે તેમ નથી તે ગતરોજ યોજાયેલ વિવિધ કાર્યક્રમો દ્વારા વધુ એક વખત સાબિત થયાનુ સમીક્ષકો કહે છે.
-સમાજ માટે ભામાશા બન્યા તેમ અન્ય સમાજો માટે પણ….
હકુભા પાસે કોઇ કામસર કે મદદ કે સહાય મેળવવા જાય તો તે ખાલી હાથે પાછા નથી ફરતા ધક્કો નથી થતો તો વળી કોઇપણ કાર્યક્રમો હોય તેમની હાજરી તો હોય સહયોગ પણ હોય જ છે શિક્ષણ આરોગ્ય મહિલા સશક્તિકરણ સમુહભોજન સામાજીક પ્રસંગો સમાજ ઉપયોગી વ્યવસ્થા વગેરે અનેક કામો માટે હકુભા દાનવીર તરીકે ઉભરી આવ્યા છે, સાથે સાથે સૌને નૈતિકબળ પણ પુરૂ પાડતા આવ્યા હોઇ આ યુગના તેઓ ભામાશા છે સાથે ચાણક્ય પણ છે, ચાણક્ય બુદ્ધી છે, તેથી જ ટોપ લેવલના રાજ્યસ્તરના નેતાઓને પણ તેમના આયોજનમા આવવુ ગમતુ હોય છે, અનેક કાર્યક્રમ પડતા મુકી જામનગર રાજપૂત સમાજના આયોજનમા કેન્દ્ર સ્થાને હકુભા અને રીવાબા હતા માટે સૌ પ્રદેશકક્ષાના સરકારના નેતાઓ આવ્યા હતા આમ આ દરેક સમાજ માટે ભામાશાની લોકપ્રીયતા અકબંધ હોવાની સમગ્ર ગુજરાતે પ્રતિતિ કર્યાનુ બુદ્ધીમાનોની ચર્ચામા સાભળવા મળ્યુ છે.
-સ્વભાવ-આત્મવિશ્વાસ-સદગુણ-ધનસંપતિ……બધુ જ પુણ્યથી મળે છે, રક્તદાતા સ્વયંભુ ઉમટ્યા
એવુ કહેવાય છે કે સંપતી સતા સંતાન સુખ શક્તિ વગેરે ભાગ્યથી મળે છે અને ભાગ્ય કર્મથી ઘડાય છે તેમજ કર્મ પ્રત્યે જાગૃતતાએ શ્રેષ્ઠ ક્રિયા છે….આ બાબત હકુભા જેવા વિરલા જીવી જાણે છે માટે તેમને અસંખ્ય ચાહકો અસંખ્ય આજ્ઞાંકિત કાર્યકર્તાઓ તેમના માટે દોડતા સમર્થકો બધુ જ સહજ મળતુ રહે છે ને વધતુ જાય છે તો જનતા જનાર્દન એ તો હકુભાને હ્રદયમા સ્થાન આપ્યાનુ સર્વેક્ષણ કહે છે તેમજ રક્તતુલા કરવાની હતી તો હકુભા અને રીવાબા બંનેની રક્ત તુલા તો થઇ ગઇ એથી વધુ રક્તદાન મળ્યુ કેમકે રક્તદાતાઓ સ્વયંભુ ઉમટ્યા હતા ….આને કહેવાય લોકપ્રિયતા….
આ જ બાબત અંગે પ્રસંશકો કહે છે કે હકુભા હાંકલ કરે ને અમે હાજર થઇએ જ અને તેઓ હાકલ ન કરે ને માત્ર હજુ તો આયોજન કરે ત્યા અમે ચોક્કસથી હાજર થઇ જ જઇએ છીએ, મુળ વાત એ છે કે હકુભાનુ પુણ્ય નુ ભાથુ જબરૂ છે અવિરત પણ છે અને માટે જ તેઓ ને બધુ જ સુખ સંતોષ સિદ્ધી મળ્યા છે,તેમને સારી તકો મલે છે કેમકે સૌને સહજ મળનાર હંમેશા અવેલેબલ કોઇ એપોઇન્ટ વગર લોકો ને મળવુ મદદ કરવી સેવા તો નિત્ય કરવી અને ધર્મધ્યાન સાધના એ દરેક થી હકુભા આગામી સમયમા TIGER IS BACK ની જેમને જરૂર નથી તેવા હકુભા તો હંમેશા ટાઇગર જ છે સિંહત્વથી જુસ્સો જોમ અને જનપ્રેમ એ તેમનુ ભાથુ છે અને તે દેખાઇ આવ્યુ તરી આવ્યુ લોકો ગમે તે ગણીત માંડે આવા આયોજનો વરસોથી હકુભા કરે છે ત્યારે આ વિશીષ્ટ અને ઐતિહાસીક હતુ જે રાજપૂત સમાજના સૌ ભાઇઓ બહેનોએ દીપાવ્યુ છે અને સમાજના આગેવાનને સન્માન આપ્યુ છે હકુભાને સ્વયંભુ સન્માનવા લોકો થનગનતા હોય છે તેમ અનેક અભિપ્રાયો બાદ તારણ મળ્યુ છે જે જુજ લોકોને મળે છે.
-જામસાહેબના આશીર્વાદ અને લાખેણી ભેંટ
હકુભાએ જન્મ દિવસના દિવસે જામનગર નવાનગર સ્ટેટના પુર્વ રાજવી જામ શત્રુશલ્યસિંહજીના આશીર્વાદ લેવા ગયા હતા, જામ સાહેબે ખુબ જ પ્રસન્નતાથી હકુભાને આશીર્વાદ આપી જન્મદિવસની ભેંટ પણ આપી હતી જામ સાહેબને મળવુ એ જ સૌભાગ્ય કહેવાય છે છેલ્લા કેટલાક મહિનાઓથી જોઇએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામસાહેબને મળવા ગયા હતા ત્યારબાદ જેમની નોંધ લેવાઇ હોય તેવા નોંધપાત્ર કહી શકાય તેવા હકુભા જામસાહેબને મળ્યા તેમને પગે લાગી આશીર્વાદ મેળવ્યા હતા જામનગર માટે આદર પુર્વકના અગ્રણી અને વડીલ ગણાતા જામ સાહેબ આમ તો ખાસ કોઇને મુલાકાત આપતા નથી પરંતુ હકુભા ગ્રાસરૂટ લેવલના રહીને ટોચની લોકપ્રિયતા ધરાવે છે તેનુ કારણ અવિરત જનસેવા છે માટે સેવાને બિરદાવવા જામ સાહેબે ખાસ મુલાકાત આપ્યાનુ જાણકારો કહે છે.