Mysamachar.in-જામનગર:
કરિયરનકશા એ આઇઆઇ.ટી. અને આઇ.આઇ.એમ.ના ગ્રેજ્યુએટ / એલ્યુમીનાઈ દ્વારા સ્થાપવામાં આવેલી એકમાત્ર સ્ટાર્ટઅપ સંસ્થા છે જે કારકિર્દી માર્ગદર્શન માટે સંપૂર્ણ વૈજ્ઞાનિક ઢબે બનાવેલ સાયકોમેટ્રીક ટેસ્ટ અને કાઉન્સેલિંગ વિધાર્થી જગતની સેવામાં લાવ્યા છે. આ ટેસ્ટ અને કાઉન્સેલિંગ વિધાર્થીઓની કારકિર્દીની મુઝવણનું સચોટ સમાધાન આપે છે કારણ કે આ ટેસ્ટનો આધાર અમેરિકાની ઓ-સ્ટાર નેટવર્ક પ્લેટફોર્મ આધારિત છે આ પ્લેટફોર્મ યુએસની મીલીટરી અને લેબર દ્વારા વાપરવામાં આવે છે.કરિયરનકશા કંપનીની સ્થાપના એક ખાસ હેતુથી કરવામાં આવી છે. આ ખાસ હેતુ છે કે દરેક વિધાર્થિની અંદરની સુષુપ્ત અને છૂપાયેલી પ્રતિભાને ઓળખી તેને સકારાત્મક અને યોગ્યદિશામા વાળવા માટે અને સુદ્રઢ અને સશક્ત સમાજની રચના કરવી. કરિયરનકશાના આ સાયકોમેટ્રિક ટેસ્ટ અને કાઉન્સેલિંગ દ્વારા વિધાર્થીઓ પોતાની મનપસંદ અને આત્મપ્રતિભાને અનુરૂપ કારકિર્દી પસંદ કરી તેમાં જ ભણી તે જ કારકિર્દીને અનુરૂપ નોકરી કે વ્યવસાય મેળવી જીવનના સોનેરી સ્વપ્ન સાકાર કરી શકે છે.
કરિયરનકશા ના આ સાયકોમેટ્રિક ટેસ્ટ અને કાઉન્સેલિગનો લાભ અત્યાર સુધી 15000 વિદ્યાર્થીઓએ મેળવ્યો છે કરિયરનકશાની વિવિધ સોશિયલ મીડિયા નેટવર્ક ઉપર ઉપલબ્ધ અને અન્ય સેવાઓનો ઉપયોગ અત્યાર સુધી 100000 વ્યક્તિઓએ કર્યો છે. કરિયરનકશાના ફ્યુચર પ્લાન્સ ની વાત કરતાં તેના ડાયરેક્ટર નિમિષ ગોપાલ (આઇઆઇ. ટી) અને મૌલીન શાહ (આઇ.આઇ.એમ.) એ જણાવ્યું કે અમે જામનગર શાખાની જેમ જ આવતા બે વર્ષમાં ગુજરાત ના દરેક જિલ્લાના મુખ્ય મથકો ખાતે તેમની શખાઓનું સશક્તા નેટવર્ક ઊભું કરવા માગીએ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા અને તેમના મંત્ર સબકા સાથ સબકા વિકાસ અને સબકા પ્રયાસ ને ઉજાગર કરવા કરિયરનકશાનો પ્રયાસ રહેશે કે દરેક વિધાર્થીને પોતાના સ્વપ્નોની કારકિર્દી જાતે ઘડી પોતે પગભર થાય અને તેના માતાપિતા, કુટુંબ, શિક્ષકો અને સમાજને ગર્વની અનુભુતિ કરાવે અને કરિયરનકશાના સાયકોમેટ્રિક ટેસ્ટ અને કાઉન્સેલિંગની મદદથી વિધાર્થીઓ જોબ સિકર ને બદલે જોબ ક્રિયેટર બને.કરિયરનકશાના આ તદ્દન નવા ઉપક્રમોને સફળ બનાવવા માટે ભારતભરના શિક્ષણવિદો અને મનોવૈજ્ઞાનિકો એ જેવી રીતે અમને સહાય કરી છે તે જ પ્રકારની સહાય સૌરાષ્ટ્રના તજજ્ઞો પાસેથી મેળવી અમો આગળ વધવા માગીએ છે તેમ કરિયરનકશાના જામનગર શાખાના પ્રબંધક વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
કરિયરનકશાની જામનગર શાખાના ઉદઘાટન સમારોહમાં જીલ્લા શિક્ષણ અધિકારી એસ એલ ડોડીયા, તથા જીલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સૌથી સિનિયર અધિકારી મકવાણાએ વ્યક્તિગત રીતે હાજર રહીને ઉદ્ઘાટન સમારંભ ખાતે કરિયર નકશા ની સંપૂર્ણ ટીમ સાથે ખુબ અર્થપૂર્ણ વાર્તાલાપ કરી કરિયર ગાઇડન્સ માટે મહત્વના મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરી આ અતિ મહત્વના વિષય ઉપર કરિયર નકશા ની તજજ્ઞ કાઉન્સીલરોની ટીમને માર્ગદર્શન આપી ઉત્સાહ વધાર્યો. ડી.ઇ.નો. સાહેબે કરિયર નકશા દ્વારા જાન્યુઆરી મહિનામાં યોજવામાં આવનાર કરિયર ફેર અને એક્સ્પો ને શુભેચ્છા પાઠવી અને શિક્ષણ ખાતા દ્વારા શક્ય તેટલી મદદ કરવાની બાંહેધરી આપી હતી.કરિયરનકશાની જામનગર શાખાના ઉદધાટન સમારોહમાં જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કરિયરનકશાની ટીમને શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે હાલના કોરોના મહામારી બાદ સમાજમાં વિધાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને ધણી મુંઝવણો છે અને કરિયર કાઉન્સેલિંગની સમાજને તાતી જરૂરિયાત છે.
આ ઉદ્ઘાટન સમારંભમાં અતિથિ વિશેષ ડો. વિમલ કગથરા શહેર ભાજ૫પ્રમુખ અને શિક્ષણવિદએ તેમની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું કે જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોને શિક્ષણ ક્ષેત્રના આ પ્રકારના પ્રોજેક્ટથી ઘણી મદદ મળશે અને સાયકોલોજીના વિધાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન ક્ષેત્રે આ પ્રકારની સંસ્થાઓ ના સૌરાષ્ટ્ર માં આવવાથી વ્યવસાય ક્ષેત્રે ઉજ્વળ તકો ઉભી થશે. અત્યાર સુધી સાયકોલોજીના વિધાર્થીઓ અને તજજ્ઞોની કારકિર્દી ફક્ત કોલેજ શિક્ષણ પૂરતી મર્યાદિત હતી પરંતુ હવે આ પ્રકારના કાઉન્સેલિંગ સેન્ટરોના વિકાસથી સૌરાષ્ટ્ર ખાતે પ્રોફેશનલ પ્રેક્ટિસ ની નવી ઓપોર્ચ્યુનિટી ની શરૂઆત થશે.આ ઉદ્ઘાટન સમારોહમાં શહેરના નામાંકિત શિક્ષણવિદો, માનસશાસ્ત્રીઓ, ડોક્ટરો, પત્રકારો અને સમાજના અગ્રણીઓએ હાજર રહીને શુભેચ્છાઓ પાઠવી અને આ પ્રકારના સમાજ ઉપયોગી પ્રોજેક્ટને સંપૂર્ણ સહકારની બાંહેધરી આપી હતી.