Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાત વિધાનસભામાં આજથી શરૂ થયેલાં અને પાંચ દિવસ ચાલનારા ચોમાસું સત્રમાં હાલ પ્રશ્નોતરી કાળમાં વિવિધ પ્રશ્નો પર સરકાર ચર્ચા કરી જવાબ આપી રહી છે ત્યારે ખેડૂતો માટે કરવામાં આવતા કૃષિ મહોત્સવ પાછળ ગુજરાત સરકારે કરેલા ખર્ચના આંકડા પર ગૃહમાં કૃષિમંત્રી દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. આજે ગુજરાત વિધાનસભામાં સરકારે ખર્ચના આંકડા જાહેર કર્યા છે.
જેમાં રાજય સરકારે છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં કૃષિ મહોત્સવ પાછળ રૂ. 8425.95 લાખનો ખર્ચ કર્યો હોવાનું જણાવાયું છે. સરકારે જણાવ્યું કે, છેલ્લા 2 વર્ષમાં સરકારે કૃષિ મહોત્સવનો ખર્ચ ઘટાડ્યો છે. સૌથી વધુ 2015માં રૂ.3436.63 લાખનો ખર્ચ કરાયો હતો. જયારે 2016માં રૂ.1582.44 લાખ, 2017માં રૂ.1839.87 લાખ, 2018માં રૂ.628.40 લાખ, 2019માં રૂ.938.61 લાખ ખર્ચ કર્યો હોવાનું સરકારે સ્વીકાર્યું છે. આ સંદર્ભમાં સરકારે જણાવે છે કે ખેડૂતોને સહાય કરવામાં સરકારે કૃષિ મહોત્સવ પાછળ થતો ખર્ચ ઘટાડ્યો છે.પરંતુ અત્યાર સુધી થયેલ ખર્ચનું શું.?