Mysamachar.in-જામનગર
સમગ્ર ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા ખૂબ વરસ્યા છે. ત્યારે આવે વખતે લગભગ ચીજવસ્તુઓના ભાવોમાં મોટો વધારો થયો છે. જેથી મોંધવારી પણ વધી રહી છે. શાકભાજીના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોમાં ત્રણ ગણાથી વધુ ભાવ વધ્યો છે. આ ભાવ વધારાની અસર જોવા મળી હોય તેનાં પરિણામે ગૃહિણીઓના બજેટ તૂટી ગયા છે. એક તરફ કોરોના વાયરસને લીધે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો આર્થિક સમસ્યાઓએ અજગર ભરડો લીધો છે. ત્યારે બીજી તરફ ઘરવપરાશ તેમજ રોજિંદા વપરાશની વસ્તુઓના ભાવો વધારાને કારણે લોકોની મુશ્કેલીમાં આ દિવસમાં વધારો થયો છે. જામનગર જિલ્લામાં પણ પડેલાં ભારે વરસાદને લીધે ખેડૂતોના પાકોને નુકસાન થયું છે. ખેડૂતને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એ બધી અસર શાકભાજીમાં પણ જોવા મળી રહી છે.
જેમાં જામનગરમાં બટાકાનો જૂનો ભાવ 30 રૂ. હતો જે વધીને 40 થી 50 રૂ. થયો છે, ટામેટાંનો જૂનો ભાવ 20રૂ. હતો જે વધીને 70 થી 80રૂ. થયો છે, મરચાંનો જૂના ભાવ 40 થી 50રૂ. હતો જે વધીને 80રૂ. થયો છે, કોથમીરના 100રૂ. હતા જે વધીને 200 થી 250રૂ. જેટલાં થયા છે, ડુંગળીના જૂનાં ભાવ 20રૂ. હતા જે વધીને 40 થી 50રૂ. થયા છે, દુધીના 25રૂ. હતા જે વધીને 70રૂ. થયા છે, ગવારના જૂનો ભાવ 80રૂ. હતો જે વધીને 180રૂ. થયો છે, ટીંડોળાંના 40 થી 50રૂ. હતા જે વધીને 80રૂ. થયા છે, ચોળીના 70 થી 80રૂ. હતા જે વધીને 100થી 150રૂ. થયા છે. શાકભાજીના ભાવમાં આમ બે થી ત્રણ ગણો વધારો થયો છે. આગળ વિપુલ પ્રમાણમાં શાકભાજીની આવકની સેવાય રહેલી આશાને લઈને ભાવ ઘટવાની શકયતાઓ પણ દેખાઈ રહી છે. જો કે હાલ તો લીલું શાકભાજી ગૃહિણીઓ માટે ખરીદવું અઘરૂં બની રહ્યું છે.