Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાતમાં અલગ-અલગ શહેરોમાં લોકડાઉન દરમિયાન ફસાયેલા અન્ય રાજ્યના લોકોને તેમના વતન પહોંચાડવા માટે તેમજ અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં પરત આવનારા લોકો માટે રાજ્ય સરકાર દ્વારા 8 I.P.S અને I.A.S. નિયુક્તિ કરવામાં આવી છે, આ અધિકારીઓ ગુજરાતમાં ફસાયેલા ઓરિસ્સા બંગાળ મધ્ય પ્રદેશ રાજસ્થાન સહિતના લોકોને તેમના વતન પરત જવા માટેની તેમજ અન્ય રાજ્યોમાં ફસાયેલા હોય તેમને ગુજરાતમાં આવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે, આ કાર્યવાહી આગામી 10 થી 15 દિવસમાં પૂર્ણ કરવામાં આવનાર હોવાથી કોઈપણ રાજ્યના ફસાયેલા લોકોએ ભાગદોડ કર્યા વગર જે તે કલેકટરને ઓનલાઇન અરજી કરવાની રહેશે તેમ પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું,
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે જે તે જિલ્લાના કલેકટર દ્વારા વેબ પોર્ટલ જાહેર કરવામાં આવશે તેમાં દરેક અરજદારોએ તેમની અરજી કરવાની રહેશે જો અરજદાર ને શરદી તાવ કે અન્ય કોઈ બીમારી હશે તો તેવા અરજદારોને પરત જવા દેવામાં નહીં આવે માત્ર કોઈપણ પ્રકારના રોગના લક્ષણ દેખાય નહીં તેવા લોકોને જ વતન જવા માટેની કાર્યવાહી હાથ ધરાશે
સાથો- સાથ અરજદારે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા પોતાના દ્વારા કે ગ્રુપ દ્વારા કરવાની રહેશે અને જે વાહનમાં જવાના હોય તેની સંપૂર્ણ માહિતી અરજીમાં દર્શાવવાની રહેશે અંતમાં તેઓએ જણાવ્યું હતું કે અન્ય રાજયોમાંથી 2420 લોકો ગુજરાતમાં પરત આવી ચૂક્યા છે અને આ અંગે કોઈપણ પ્રકારની પૂછપરછ કે ફરિયાદ હોય તો તેવા લોકોએ 1070 નંબરના ફોન પર જણાવવાની રહેશે આ તમામ પ્રક્રિયા માટે સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલા I.A.S. અને I.P.S ઓફિસર કોઈપણ અરજદારને તકલીફ કે મુશ્કેલી ઉભી ન થાય તેની ખાસ કાળજી રાખશે.