Mysamachar.in-જામનગર
સામાન્ય રીતે જાહેરપક્ષની મીલકત જાહેર જનતાના ઉપયોગમા આવે તો તે માટેની મહેનત સફળ ગણાય તેમાય ભાજપ જેવા રાજકીય પક્ષ એ તો જનસેવાનો મુખ્ય આધાર રાખ્યો છે, આ બંને મુદા જોતા હાલની ક્રીટીકલ કન્ડીશનમા ભાજપના બે વિશાળ કાર્યાલયો જો કોવિડ કેર સેન્ટર તરીકે ઉપયોગમા લેવાય તો ભાજપ પક્ષ માટે જીવન ન્યોછાવર કરનાર પક્ષના સૌ સપુતો પણ ખુશ થશે તેમ રાજકીય વિશ્લેષકોએ my samachar ને જણાવ્યુ છે કેમકે સેવા કરનાર પક્ષ ભાજપ માટે આ તક બહુ અગત્યની છે. કેમકે જાહેર પક્ષની જાહેર મીલકતનો જાહેર ઉપયોગ જનતા માટે થાય તે સદભાગ્ય ગણાય.
જામનગર શહેરમાં આવેલ અને સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી જામનગરની જી.જી. હોસ્પિટલ આજે સતાવાર રીતે જાહેર કર્યા મુજબ ફૂલ થઇ ગઈ છે, એટલે ત્યાં હવે કોઈ દર્દીઓને દાખલ કરી શકાય તેમ નથી, છતાં તંત્રએ હજુ હાર માની નથી અને કઈ રીતે વધુ વ્યવસ્થાઓ ગોઠવાઈ શકે તે માટે પ્રયાસો કરી રહ્યા છે, તો ખાનગી કોવીડ હોસ્પિટલ અને કોવીડ કેર સેન્ટરો પણ મોટાભાગે ફૂલ થઇ ચુક્યા છે અથવા તો અમુકમાં ઓક્સીજન સહિતનો અભાવ છે, ત્યારે સમાજના કેટલાક લોકોનો એવો અભિપ્રાય મળી રહ્યો છે કે જામનગર શહેરમાં આવેલ શહેર ભાજપ કાર્યાલય અને જામનગર જીલ્લા ભાજપ કાર્યાલય ખુબ મોટા છે. અને ઘણા દર્દીઓનો સમાવેશ જો અહી કોવીડ કેર સેન્ટર ઉભું કરવામાં આવે તો થઈ જાય તેમ છે. તો આ બાબતે કોઈ નેતાઓએ વિચારવું જોઈએ તેમ કેટલાક જાણકારોનું માનવું છે.
જો નેતાઓ ધારે તો આવું કરી શકે.. (જો તબીબો સલાહ આપે તો) હા જાણકારોનો અભિપ્રાય એવો પણ છે કે કોંગ્રેસના બન્ને કાર્યાલયો કાઈ ખાસ મોટા નથી એટલે તેનો ઉપયોગ થઇ શકે તેમ નથી હા કોઈ દર્દીઓના સંબંધીઓને ઉતારા આપવા માટે કે તેનો ઉપયોગ કરવો હોય કોંગ્રેસ પણ કરી શકે, પણ ચૂટણીમાં ભૂંડી હારનો સામનો કરનાર કોંગ્રેસના સ્થાનિક નેતાઓના દર્શન દુર્લભ થઈ ગયા હોય તેવું પણ લાગે છે. જામનગર શહેર અને જીલ્લા ભાજપ કાર્યાલય સુવિધાઓવાળા હોય જો તેનો ઉપયોગ કરવા દેવામાં આવે તો એમાં કાઈ ઘસાઈ જાય એવું નથી, ઉલટાનું ભાજપના નેતાઓનું તો મન મોટું છે. અને લોકોને પણ વિશ્વાસ છે કે જો આવું બંધ બેસતું હશે તો એકાદ દિવસમાં જ આવી જ જાહેરાત થઇ જશે.
જો કે આ મામલે પ્રદેશ કોંગ્રેસ પહેલ કરી ચુક્યું હોવાનું જાણવા મળે છે કે ગુજરાતમા સરકારને જયાં પણ જરૂર પડે કૉંગ્રેસનાં કાર્યાલયો કોંવિડ સેન્ટરમાં ફાળવવા કૉંગ્રેસે સરકારને તૈયારી બતાવી છે. ગુજરાત રાજ્યનાં તમામ કૉંગ્રેસ કાર્યાલયો કોંવિડ સેન્ટરમાં ફેરવવા કૉંગ્રેસે પહેલ કરી છે. સાથે જ કહ્યુ કે, કોંગ્રેસ પોતાના કાર્યાલયોની પ્રિમાઇસીસ આપવા તૈયાર છે અને કહ્યું કે, તેમાં સરકાર મેડિકલ સુવિધાઓ આપે.
-આમ પણ હવે ચુંટણી નથી નેતાઓ માટે કાર્યાલયની શું જરૂર.?
હાલમાં કોરોના મહામારી સિવાય કોઈ વાત નથી, રાજ્યમાં કે જામનગર શહેરમાં ચુંટણીનો માહોલ પણ નથી ત્યારે નેતાઓને કઈ ખાસ કાર્યાલયનું કામ હોતું નથી, માટે આ રીતે કોવીડ પોજીટીવ દર્દીઓની સેવામાં કામ આવી જાય તો સેવાનો મંત્ર પણ સાર્થક થઇ જશે.