Mysamachar.in-જામનગર:
જામનગરમાં આવેલ ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલયના ઇન્ટર્ન તબીબો સંપૂર્ણ વર્ષ દરમિયાન હોસ્પિટલમાં ફરજ બજાવતા હોય છે. ત્યારે ઇન્ટર્ન તબીબોને પૂરતું સ્ટાઈપેન્ડ આપવા માટે ABVPએ કલેક્ટરને રજૂઆત કરી હતી. સાથે જ ABVPએ ઈન્ટર્ન તબીબોને સ્ટાઈપેન્ડ આપવાની કરાયેલી રજૂઆતને ધ્યાને નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે,
શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલયના ઇન્ટર્ન તબીબો સંપૂર્ણ વર્ષ દરમિયાન હોસ્પિટલમાં ફરજ બજાવતા હોય છે.આ વર્ષે કોરોના મહામારી દરમિયાન પણ પોતાનો જીવ જોખમ મા મુકી તેમની નિયમિત ફરજ પર હાજર રહેવા છતાંય તેમને યોગ્ય વળતર આપવામાં આવતુ નથી. જ્યારે ગુજરાત પ્રદેશમા આવતી બીજી બધી B.A.M.S. કોલેજો મા સ્ટાઈપેન્ડ 9800+ છે અને પ્રદેશની સર્વશ્રેષ્ઠ કોલેજ મા માત્ર રૂ 7280 સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે, જેથી આ અંગે ઘટતી કાર્યવાહી કરવા ABVP એ આજે કલેકટર કચેરી ખાતે રજૂઆત કરી છે.