Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકાનું ટેકનીકલ યુનિયન છેલ્લા કેટલાય સમયથી મનપાની કામગીરીના ખોરંભાય તે રીતે પોતાની રજુઆતો સાદર કરતુ આવ્યું છે, તાજેતરમા યુનિયન દ્વારા કમિશ્નરને સંબોધીને રજૂઆત કરાઈ છે જેમાં અલગ અલગ 11 મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ રજૂઆતના સમર્થનમાં મનપાના વિપક્ષ નેતા અલ્તાફ ખફી પણ આગળ આવ્યા છે અને કાર્યપાલક ઈજનેરોની સિનીયોરીટી મુજબ યોગ્ય કાર્યવાહી કરવા કમિશ્નરને પત્ર લખ્યો છે.
કુલ પાંચ જગ્યા માંથી એક જગ્યામાં સીટી એન્જીનીયર નિમણુક થયેલ હોઈ બાકીની ચાર કાર્યપાલક એન્જીનીયરની જગ્યા ખાલી હોઈ જેને હિસાબે કોઈ પણ પ્રકારના કામકાજ થતા ન હોઈ અને કોર્પોરેશન ચાર્જમાં ચાલતું હોઈ અને લાયકાત વગરના લોકોને ઘણીવાર હોદા ઉપર બેસાડી દેવામાં આવે છે જેથી બાકી ચાર કાર્યપાલક એન્જીનીયરની જગ્યામાં અનુભવ લાયકાત અને સીનીયોરીટી પ્રમાણે તાત્કાલિક ધોરણે ભરવા માટે મનપા વિપક્ષ નેતા અલ્તાફ ખફીએ કમિશ્નરને પત્ર લખી જાણ કરી છે.