Mysamachar.in-જામનગર
જામનગર નજીક હાપામાં આવેલા જલારામ મંદિરમાં મંગળા વિઠ્ઠલેશ ગૌશાળામાં ગાયો માટે અષાઢી બીજના તહેવારને અનુલક્ષીને સૌપ્રથમ વખત ગૌચારાના અન્નકૂટના દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, અને ગૌમાતાને મકાઈ, જુવાર, ગદબ ઉપરાંત ફળો, શાકભાજી સહિત 31 જેટલી ખાદ્ય સામગ્રીનો અન્નકોટ ધરવામાં આવ્યો હતો, આ અનોખા દર્શનનો લાભ લેવા સર્વે ગૌભક્તોને અનુરોધ કરાયો છે.
જામનગર નજીક હાપા જલારામ મંદિરમાં આવેલી મંગળા વિઠલેશ ગૌશાળામાં જલારામ સેવા ટ્રસ્ટ હાપા તેમજ પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર દ્વારા આજે અષાઢી બીજના તહેવારને અનુલક્ષીને 31 જેટલા વિવિધ પ્રકારના ગૌચારાના અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે. અષાઢી બીજના તહેવારને આજે સવારે 8.30 વાગ્યાથી સાંજના 7.00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ગૌચારાના અન્નકૂટના દર્શન રખાયા છે, આ પ્રસંગે સર્વે ગૌ-ભક્તો તેમજ જલારામ ભકતોને દર્શનનો લાભ લેવા નિમંત્રણ અપાયું છે. ઉપરાંત કોઈપણ ભક્તજનો પોતાના તરફથી ગૌચારાના અન્નકૂટ માટે સામગ્રી નોંધાવવા માંગતા હોય તો હાપા જલારામ મંદિરના કાર્યાલયનો સંપર્ક કરવા પણ જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરાયો છે.
મંગળા વિઠ્ઠલેશ ગૌશાળામાં ગૌમાતાઓ માટે અષાઢીબીજ નિમિત્તે જુદી-જુદી 31 જેટલી ખાદ્ય સામગ્રીનો અન્નકોટ રખાયો છે. જેમાં જુવાર, મકાઈ, ગદબ, ઘઉંના લોટના લાડુ, ખોળ, કપાસિયા, દૂધી, ફૂલાવર, કોબીજ સહિત લીલા શાકભાજી ઉપરાંત કેળા, સફરજન, ચીકુ સહિતના ફળો વગેરે મળી 31 જેટલી ખાદ્ય સામગ્રીઓ રાખવામાં આવી છે. જેના દર્શનનો લાહ્વો લેવા સર્વે ગૌભક્તોને અનુરોધ કરાયો છે.