Mysamachar.in-જામનગર
જામનગર શહેરનો લગભગ એકેય વિસ્તાર એવો નહિ હોય જ્યાં વરસાદને કારણે રસ્તા ખખડધજના બન્યા હોય…શહેરના સ્લમ વિસ્તારો તો ઠીક પણ કેટલાય પોષ વિસ્તારોની સ્થિતિ પણ રોડરસ્તાની બાબતે કથળેલી છે, જામનગર મનપાનો વિપક્ષ દ્વારા આજે સતત બીજા દિવસે લોકોની આ હાલાકીને લઈને નવતર વિરોધ કર્યો અને આ વિરોધ પણ જામનગરના મેયર ના વોર્ડમાં જ કરવામાં આવ્યો છે, મેયરના વોર્ડમાં આવેલ સ્વામીનારાયણ નગર નજીક આજે મનપાના વિપક્ષ અને કોંગી કાર્યકરો દ્વારા રોડ વચ્ચેના ખાડાઓમાં વૃક્ષારોપણ કરી આંખ ઉઘાડવા સુત્રોચાર પણ કરવામાં આવ્યા,વર્ષે કરોડોનું બજેટ શહેરના રસ્તાઓ પાછળ ફાળવવામાં આવે છે પણ વિપક્ષના આક્ષેપો મુજબ મળતિયાઓને કામ આપ્યા બાદ કામની ગુણવતાને લઈને વારંવાર પ્રશ્નો ઉઠતા રહે છે.અને આ ચોમાસામાં તો કેટલાય તાજેતરમાં જ બનેલા રોડ રસ્તાઓએ પણ મનપાની જાણે પોલ ખોલી નાખી હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.હવે વિરોધપક્ષના વિરોધની અસર કેવી અને કેટલી થશે તે જોવાનું છે.