Mysamachar.in-જામનગર
દેશ લેવલના સ્વચ્છતા સર્વેક્ષણમાં જામનગર 28માં નંબરે આવ્યું ગંદકીનગર જામનગર 28 મુ તો બીજા શહેરો કેવા હશે? તે સવાલ સહેજે થાય કેમકે ગંદકીનગર જામનગર 80 માંથી 28 માં નંબરે કુદકો મારી પહોંચી ગયુ અને કોર્પોરેશનના હરખપદુડા તો આનો ઢોલ વગાડે છે, ત્યારે સર્વેક્ષણ ક્યા થયુ ક્યારે થયુ તેમ નાગરીકો પુછે છે અને એમ પણ કહે છે કે સ્વચ્છતામા દેશમા જામનગર 28 મા નંબરે છે તે આવુ છે જ્યા લોકો ગંદકી કચરા ગોબર ખાડા કચ્ચરઘાણ ગટરોની ગંદકી વચ્ચે જીવે છે, તો દેશના બીજા નગરોમા તો કેટલી ખરાબ સ્થિતિ હશે.? સરકારી યાદી મુજબ સ્વચ્છતા સર્વેક્ષણમાં મહાનગરપાલિકાએ કરેલા કામને લઇ શહેર આગળ આવ્યું છે ગત વર્ષે 80માં ક્રમેથી 28મા ક્રમે આવ્યું છે સ્વચ્છ સર્વેક્ષણ 2020 માં જામનગર શહેરે 28મો ક્રમ મેળવ્યો છે તેમા કચરાનું પ્રોસેસિંગ, બાયોગેસ પ્લાન્ટ, અને સૂકા કચરાનું અલગ-અલગ એકત્રીકરણ કારણભૂત છે.
કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2020 હાથ ધરાયું હતું. જેમાં ભારતભરમાંથી જામનગર સહિત 4273 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા નિમાયેલી એજન્સી દ્વારા જામનગરમાં પણ સ્વચ્છ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન, ભીના સૂકા કચરાનુ અલગ-અલગ એકત્રીકરણ, જુદા જુદા સ્થળોનો સર્વે, લોકોના ફીડબેક લેવામાં આવ્યા હતા. સ્વચ્છ સર્વેક્ષણ 2020 નું પરિણામ જાહેર થતા જામનગરનો 28 મો ક્રમ આવ્યો છે. જામનગર શહેરીજનોમાં આનંદની લાગણી ફેલાઇ છે. જો કે હજુ પણ જામનગર મહાનગરપાલિકા અને શહેરીજનો દ્વારા સ્વચ્છતા અંગે વધુ કાળજી લેવાઇ તો આવતા વર્ષે એક થી ચાર નંબરમાં જામનગરનો સમાવેશ થાય તે નક્કી છે પરંતુ કોઇ વાસ્તવિકતા તો જણાવો નગરની ગંદકી જાહેર કરો રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર સુધી ગંદકીનુ સાચુ ચિત્ર પહોંચાડશો તો નંબર આપનારા પણ શરમાઇ જશે તેમ નાગરીકો કહે છે.