Mysamachar.in-ગાંધીનગર
રાજ્ય સરકારે પ્રિવેન્શન ઓફ એન્ટી સોશ્યલ એક્ટીવીટીઝ એક્ટ પાસા PASA એટલે કે અસામાજીક પ્રવૃતિ અટકાવતા અધીનિયમનો વ્યાપ વધાર્યો છે તેમજ જોગવાઇઓ પણ બદલી છે હવે પોલીસ વિભાગ માંડે દરખાસ્ત કરવા તો ફફડાટ ફેલાય તેમ છે કેમકે જુગારના અડા ચલાવનારા વ્યાજ માફિયા સહિત અનેક ગુનાહિત પ્રવૃતિઓને આ કાયદામા આવરી જ લેવાઇ છે માટે અમલ થાય તે જરૂરી છે, ગુજરાતમાં ભૂમાફીયાઓ અને ગુંડાઓ સામેના કાનૂન આકરા બનાવ્યા બાદ મુખ્યમંત્રીએ રાજયમાં જુગાર, સાયબર ક્રાઈમ, ગેરકાનુની રીતે નાણા ધિરધારનો ધંધો કરનારા અને ઉંચા દરે વ્યાજ પડાવનારાઓ ઉપરાંત મહિલાઓની જાતીય સતામણી સામેના કાયદા કડક કાર્યવાહીનો નિર્દેશ કરે છે અને આ માટે કાનૂન સુધારા કરવામાં આવ્યા છે,
રાજય સરકારે પ્રિવેન્સન ઓફ એન્ટી સોશ્યલ એકટીવીટી (પાસા)ના કાનૂનને જે ધાર આપવાનો નિર્ણય લીધો છે તેમાં હવે જુગાર, સાયબર ક્રાઈમ, ગેરકાનુન ધિરધાર, ઉંચા વ્યાજ પડાવનાર, શારીરિક માનસિક અત્યાચાર, જાતીય સતામણી વગેરે પ્રકારના અપરાધોને પણ સાંકળી લેવાનો નિર્ણય લીધો અને આ અંગેનો એક વટહુકમ આગામી કેબીનેટને મંજુરી મળે પછી જાહેર કરવામાં આવશે, પાસા એકટની જોગવાઈમાં જે સુધારા કરવાનો નિર્ણય લીધો છે તેમાં ટેકનોલોજીના માધ્યમ દ્વારા જે સાયબર ગુનોઓ બને છે. તે અંતર્ગત આઇ.ટી. અધિનિયમ, 2000 અંતર્ગત કોઇ પણ વ્યક્તિ શિક્ષાપાત્ર ગુનો કરે અથવા એવો ગુનો કરવાનો પ્રયત્ન કરે કે તેમાં મદદગારી કરે તેવી વ્યક્તિને પાસા કાયદાની જોગવાઇમાં આવરી લેવામાં આવી છે. જુગારની પ્રવૃત્તિ સંદર્ભે પાસા એકટમાં એવી જોગવાઇ હતી કે સજા થયાના ત્રણ વર્ષમાં વ્યકિત ફરી ગૂનો આચરે તો પાસાની કાર્યવાહી કરવામાં આવતી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં જુગારની બદીને સખ્તાથી ડામી દેવા તેમજ જુગારની પ્રવૃત્તિને કારણે કુટુંબો-પરિવારોની આર્થિક બરબાદી થતી અટકાવવા હવે આ જોગવાઇઓમાં પણ સુધારા કરવાનું નિયત કર્યું છે. હવે પાસાને વધુ કડક બનાવીને આ ત્રણ વર્ષમાં સજાની જોગવાઇ રદ કરી હવે ગમે ત્યારે ગૂનો આચરનારા સામે પાસા લાગુ કરવામાં આવશે. આ ઉપરાંત આ પાસા કાયદામાં જે નવી જોગવાઇઓ ઉમેરાઇ છે તેમાં નાણા ધીરધાર સંબંધી ગુનો કરનારની વ્યાખ્યા કરતા ગુજરાત નાણાની ધીરનાર કરનારાઓ બાબતનો અધિનિયમના પ્રકરણ-9 હેઠળ શિક્ષાપાત્ર ગુનો કરનાર, ગુનાનો પ્રયત્ન કરનાર, તેમાં મદદગારી કરનાર, લોન અથવા તેના વ્યાજ અથવા તેના હપ્તા વસૂલવા અથવા લોનના વ્યવહાર સાથે સંકળાયેલ સ્થાવર કે જંગમ મિલ્કતનો કબજો લેવા હેતુથી શારીરિક હિંસાનો ઉપયોગ કરવો, કે તે માટે ધમકી આપવી, અથવા આવી વ્યક્તિ વતી કોઇ વ્યક્તિ પાસે કામ કરાવવાની બાબતનો પણ સજા પાત્ર જોગવાઇમાં સમાવેશ કરાયો છે.
રાજ્યમાં જાતીય ગુનાઓનું પ્રમાણ ઘટે અને મહિલાઓને વધુ સુરક્ષીત કરી શકાય તે આશયથી પાસાના કાયદામાં જે જોગવાઇઓ હતી તેને વધુ વિસ્તારવામાં આવી છે. ભારતીય ફોજદારી અધિનિયમ 1860ની વિવિધ કલમો તેમજ પોક્સોના કાયદા હેઠળના શિક્ષાપાત્ર ગુનો કરે, કે એવો પ્રયાસ કરે, કે તેમાં મદદગારી કરે તેવી વ્યક્તિઓનો હવે પાસા કાયદાની સજા પાત્ર વ્યકિતમાં અલગથી સમાવેશ કરવામાં આવ્યો છે. આ અધિનિયમમાં સુધારો થવાથી જુગારની પ્રવૃતિ આચરનાર, સાયબર ગુનેગારો, વ્યાજખોરી તથા જાતીય સતામણીના ગુના જેવા ગુનેગારો સામે પાસાની કાર્યવાહી થઇ શકશે. રાજ્યમાં અસામાજીક તત્વો-ગૂનેગારો સામે સખ્તાઇનો ઉદેશ્ય રાખી પોલીસ સદાય પ્રજાની પડખે-પ્રજાના હિતમાં કાર્યરત છે તેવા પરસેપ્શન સાથે પાસા કાયદામાં આ મહત્વપૂર્ણ સુધારાઓ માટેની દરખાસ્ત આગામી કેબિનેટમાં રજુ થનાર છે
-કાયદા તો બધા જ છે…..પણ…
કાયદા નિષ્ણાંતના મતે કોઇપણ પ્રવૃતિ જે જાહેર સુલેહ શાંતિ ને ડહોળે કે વ્યક્તિગત ત્રાસ હાની થાય કે અમલમા રહેલા કાયદાઓના ભંગ કરનાર હોય કે પછી કાળા બજારથી માંડી પ્રદુષણ ફેલાવવા સહિતની બાબતો હેઠળ કેસ થઇ જ શકે છે એટલા વ્યાપક જોગવાઇઓના કાયદા અમલમા છે, તેમજ વિધીશાસ્ર મુજબ મને આ કાયદાની ખબર ન હતી તેવો બચાવ પણ માન્ય રહેતો જ નથી તેમજ સુખેથી જીવવા દેવા અને નિયમ મુજબની અભિવ્યક્તિ સ્વતંત્રતા સહિતના બંધારણીય હક ઉપર તરાપ પણ ગુનો જ છે પરંતુ આ દરેક કાયદા ના અમલ થવા જરૂરી છે વળી જેમકે મોટર વ્હિકલ અને ટ્રાફીક એક્ટ છે તો સામે સુવિધા પણ પુરી મેળવવાના પ્રજાના હક છે આવી અનેક બાબતો છે જેમાં પ્રજાની રક્ષા સુખાકારી સલામતીની જોગવાઇઓ છે અને લોકોના જાનમાલની રક્ષા અને કાયદાના પાલન કરાવા આ બે મુળભૂત ફરજ તો પોલીસે બજાવાની જ છે ત્યારે ઠોસ કેસ ઠોસ પુરાવા ઠોસ દલીલ ઠોસ કાર્યવાહીઓ વધુ જરૂરી છે તેમ પણ નિષ્ણાંતો ઉમેરે છે જો કે આ ખુબ વ્યાપક અને વિસ્તૃત ડીબેટનો વિષય છે.