Mysamachar.in-જામનગર
જામનગર શહેરમાં જે રીતે કોરોના સંક્રમણ વધી રહ્યું છે તેને જોતા આજે મ્યુ.કમિશ્નર સતીશ પટેલ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરીને માસ્ક નહિ પહેરનાર લોકોને 200 થી દંડ વધારીને 500 કરવાનો નિયમ લાગુ કર્યો છે. જે લોકો બહાર નીકળતા સમયે માસ્ક નહિ પહેર તેને પહેલી વખત 500 જયારે બીજી વખત 750 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે આ નિયમની અમલવારી આજથી શરુ કરવામાં આવી છે.હા પણ માસ્ક સિવાય રૂમાલ કે વગેરે કપડાથી પણ નાક મો બરોબર ઢંકાઈ તે રીતે હશે તો દંડની વસુલાત નહિ કરવામાં આવે.