Mysamachar.in-જામનગર:
જામનગરના હાર્દ સમાન વાલ્કેશ્વરી વિસ્તારમાં છેલ્લા 20 વર્ષથી શિક્ષણક્ષેત્રે ખૂબ જ પ્રખ્યાત The Sunshine School દ્વારા જામનગરના તમામ ધો.10 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે ધો.10 ના ગુજરાત માધ્યમીક શિક્ષણ બોર્ડની પધ્ધતિ પ્રમાણેજ પરીક્ષાનું વિનામૂલ્યે આયોજન કરવામાં આવેલ છે.સંસ્થાના વડા ડો. વિમલભાઈ કગથરા અને કાસુંદ્રા સાહેબના સંચાલન હેઠળ The Sunshine school એ છેલ્લા 20 વર્ષમાં સૌથી વધારે ડોક્ટર તથા એન્જિનીયર્સ આપેલા છે. The Sunshine Schoolમાં શરૂઆતથી જ અભ્યાસ કરતાં બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેવું વાતાવરણ આપવામાં આવે છે. આ સંસ્થામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનું સંપૂર્ણ ધડતર થાય છે.
વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ ઉપરાંત વિવિધ શાળાકીય પ્રવૃતિઓ દ્વારા જેવી કે વૃક્ષારોપણ quize, વકતૃત્વ સ્પર્ધા તથા અનેક વિવિધ કાર્યકર્મો દ્વારા વિદ્યાર્થીઓના હુન્નરને નિખારવામાં આવે છે.અહીં અભ્યાસક્રમ કરાવતા શિક્ષકોની ટીમ કાયમી, નિષ્ણાંત ત્થા નિષ્ઠાવાન અને અનુભવી છે.ધી સનસાઇન સ્કૂલ છેલ્લા 20 વર્ષોથી શ્રેષ્ઠ પરિણામ આપે છે. આ સંસ્થામાં L.K.G થી ધોરણ- 12 સાયન્સ તથા કોમર્સના ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમનું શિક્ષણ કાર્ય ચાલે છે.આ સ્કૂલના સંચાલક તથા શિક્ષકો વિદ્યાર્થીને તેના લક્ષ્ય સુધી પહોંચવા માટેનું ઉત્તમ માર્ગદર્શન આપે છે અને નિષ્ણાંત શિક્ષકો પોતાના શિક્ષણ કાર્ય દ્વારા વિદ્યાર્થીને તેના લક્ષ્ય સુધી પહોંચવાનો માર્ગ સરળ બનાવે છે.
આ સ્કૂલના શિક્ષકો દ્વારા શરૂઆત થી જ અભ્યાસક્રમ અને Test નું પ્લાનર આપી પધ્ધતિસરનું શિક્ષણ આપવામાં આવે છે.નિયત સમયે વાલીઓને મિટિંગ કરી તેમને વિદ્યાર્થીના પરિણામ તેમજ તેના અભ્યાસને લગત રૂચી વિશેની જાણ કરવામાં આવે છે. અભ્યાસમાં ઓછી રુચિ ધરાવતા વિદ્યાર્થીઓ પર વધુ ધ્યાન આપવામાં આવે છે જેથી કરી તે વિદ્યાર્થીની અભ્યાસ પ્રત્યેની રૂચિ વધારી અને સારું પરિણામ મેળવવા પ્રેરવામાં આવે છે. ગુજરાત બોર્ડ કે શાળામાં શ્રેષ્ઠ પરિણામ મેળવતા વિદ્યાર્થીઓને શાળાના સંચાલકો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે છે. ધોરણ-10 ની ગુજરાત બોર્ડની પરીક્ષામાં A1 ગ્રેડ મેળવનાર કોઈ પણ સ્કૂલના વિદ્યાર્થીને સનસાઇન સ્કૂલમાં ધોરણ 11 અને 12 સાયન્સ તથા કોમર્સમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને 100% સ્ક્લોરશિપ આપવામાં આવે છે.ધોરણ-10 ની બોર્ડની પરીક્ષા પાસ કર્યા બાદ કોઈપણ સ્કૂલના વિદ્યાર્થીને આગળના અભ્યાસક્રમ માટે સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવે છે.
ધોરણ- 10 ની પ્રી-બોર્ડ પરીક્ષાની માહિતી
ધી સનસાઇન સ્કૂલના સંચાલક ડો. વિમલભાઈ કગથરા અને કાસુંદ્રા સાહેબ દ્વારા ધોરણ-10 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ગુજરાત બોર્ડની પરીક્ષાનો ડર દૂર કરવાના હેતુથી ધોરણ-10 ની pre-Board પરીક્ષાનું આયોજન કરેલ છે. જેની વિગત નીચે મુજબ છે.
પરીક્ષાની તારીખ 20/2/2022, રવિવાર વિષય વિજ્ઞાન સમય 10:00 to 1:00 અને 20/2/2022, રવિવાર, વિષય ગણિત સમય 3:00 to 6:00 પરીક્ષાનું સ્થળ ધી સનસાઇન સ્કૂલ, વાલ્કેશ્વરીનગરી, જામનગર પરીક્ષા આપવા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજીસ્ટ્રેશન માટે વિદ્યાર્થીએ પોતાનું પુરૂનામ, અને મોબાઈલ નંબર આ ‘6356865555′ Whatsappનંબર પર મોકલવા નિયત સમયે રજીસ્ટ્રેશન કરાવેલા વિદ્યાર્થીઓને તેમની હૉલ-ટિકિટ તેમના નંબર પર મોકલવામાં આવશે. વિદ્યાર્થીએ પરીક્ષા આપવા આવતા સમયે પ્રિન્ટ કઢાવેલી હોલ- ટિકિટ ફરજિયાત સાથે રાખવી વિદ્યાર્થીએ કોરોનાની ગાઈડલાઇન્સનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. વિદ્યાર્થીએ માસ્ક પહેરવું, સેનેટાઈઝર સાથે રાખવું અને પાણીની બોટલ સાથે લાવવી જરૂરી છે, Pre-Board પરીક્ષાના આયોજનને લગતા તમામ આખરી નિર્ણયો સંચાલક રહેશે.