My samachar.in:-જામનગર
જામનગર ખાતે વસવાટ કરતા અને ભાજપના કોર્પોરેટર પૃથ્વીરાજર્સીહ ભરતીહ ઝાલા ત્થા મુંબઈ ખાતે વસવાટ ક૨તા નંદકીશોર રાઠી વચ્ચે મિત્રતા હોય, જેથી મિત્રતાના નામે આરોપી નંદકીશોર રાઠીએ 20 લાખની માંગણી કરતા ફરીયાદી પૃથ્વીરાજર્સીહ ઝાલાએ મિત્રતાના નાતે મદદરૂપ થવા માટે આરોપીને 20 લાખની રકમ હાથ ઉછીની આપેલી અને આ રકમની પરત ચુકવણી પેટે આરોપીએ ફરીયાદીને તેમની બેંક ” ઓરીયેન્ટલ બેંક ઓફ કોમર્સ” મુંબઈ બાબુંરનગર ગોરેગાંવ શાખાનો રૂા.20 લાખ પુરાનો ચેક આપેલ અને ફરીયાદીને ખાત્રી વિશ્વાસ અને ભરોષો આપેલ કે, નિયત મુદતમાં ચેક બેંકમાં નાખવાથી તેમની રકમ તેમને પરત મળી જશે આથી ફરીયાદીએ મુદત તારીખે ચેક ખાતામાં જમાં કરાવતા તે ચેક અપુરતા ભંડોળના કા૨ણે પરત ફરેલ, આમ, ચેક રીટર્ન થતાં આરોપીને ફરીયાદીએ તેમના વકીલ મારફત નોટીસ મોકલેલ તે આરોપીને મળી ગયા હોવા છતાં નોટીસનો કોઈ જવાબ આપેલ નહીં અને ફરીયાદીને તેમની કાયદેસરની લેણી રકમ પણ ચુકવેલ ન હોય..
જે બાદ ફરીયાદીએ અદાલત સમક્ષ ધી—નેગોશ્યેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ તળે ફરિયાદ દાખલ કરતા કેશ અદાલતમાં ચાલી ગયેલ આરોપી મુંબઈ ખાતે વસવાટ ક૨તા હોય કોઈને કોઈ ટેક્ટીસ અપનાવી અને સમન્સ બજવણી થવા ન દેતા ફરીયાદીએ ખુદ હાથો હાથ સમન્સની બજવણી કરેલ અને ત્યારબાદ આરોપી હાજર થયેલ અને અદાલત સમક્ષ એવી અ૨જી લાવેલ કે, ચેકનો મીસયુઝ કરેલ છે તેમાં હસ્તાક્ષર બનાવટી અને ફરીયાદીએ જાતે કરેલા છે આ અરજી દાખલ થતાં ફરીયાદી ત૨ફે વાંધાઓ લેવાતા તે અરજી અદાલતે રદ કરી નાખેલ અને ત્યારબાદ કેશ ચાલી ગયેલ અને કેશમાં પુરાવો રેકર્ડ થતાં કેશ દલીલ ઉપર આવેલ, જેમાં ફરિયાદ પક્ષે ૨જુઆતો અને દલીલો થયેલ કે, હાલ ભારત ડીઝીટલાઈઝેશન તરફ આગળ વધી રહયુ છે.જેથી હવે ભારતમાં વધુ પડતા વ્યવહારો ચેક દ્વારા કરવામાં આવશે, તેવા સંજોગોમાં જો આરોપીએ આ રીતે ફરીયાદીના શુભ આશય સાથે વિશ્વાસધાત કરી અને તેમને હાથ ઉછીની રકમ સામે ચેક આપી અને ત્યારબાદ ખાતામાં અપુરતુ ભંડોળ રાખી અને કાયદાની છટકબારી ગોતવાનો પ્રયાસ કરતા હોય અને કોઈને કોઈ રીતે ખોટો બચાવ કરવા માંગતા હોય અને લાંબો સમય સુધી અદાલત સમક્ષ હાજર રહેલ નથી..
આરોપી કાયદાને પણ માન આપતા ન હોય તેવા સંજોગોમાં આરોપીને આકરી સજા થવી જરૂરી હોય જેની નોંધ અદાલતે લઈ અને ફરીયાદીની કાયદેસરની લેણી રકમ લાખ ત્થા 5 લાખ વધારાની રકમ સહીત કુલ 25 લાખ ફરીયાદીને ચુકવવાનો હુકમ કરેલ અને આરોપીએ 1 વર્ષની સજા પણ કરેલ, આ કેશમાં ફરીયાદી ભાજપના કોર્પોરેટર પૃથ્વીરાજસીહ ભરતસીહ ઝાલા તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હ૨દેવર્સીહ આર. ગોહીલ, રજનીકાંત આર. નાખવા ત્યા આસી. નિતેશ મુછડીયા રોકાયેલા છે.