Mysamachar.in-જામનગર:
દિનપ્રતિદિન સાયબર ક્રાઈમને લગત ગુન્હાઓનું પ્રમાણ વધી રહ્યું છે,અને ગઠિયાઓ યેનેકેન પ્રકારે લોકોને પોતાના વિશ્વાસમાં લઇ અને નાણા પડાવે છે, ત્યારે આવા સાઈબર ગઠિયાઓને નાથવા સાઈબર ક્રાઈમની ટીમો પણ તપાસ કરી રહી છે, એવામાં જામનગર સાઈબર ક્રાઈમની ટીમને ઇન્વેસ્ટમેન્ટને નામે છેતરપીંડી કરતા ત્રણ ઈસમો સુધી પહોચવામાં સફળતા મળી છે.જામનગર પોલીસ વડા પ્રેમસુખ ડેલુના સીધા માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમના પોલીસ ઇન્સ્પેકટર પી.પી.ઝા સહિતની ટીમ દ્વારા સમાજમાં ઇન્વેસ્મેન્ટના બહાને ફ્રોડ કરતી ગેંગને પકડી પાડવા તપાસ કરી રહ્યા હતા, વધુમાં થોડા સમય પહેલા જામનગર ના એક ફરીયાદીને ઇન્વેસ્ટ કરવાના નામે પૈસા જમા કરાવડાવી જાહેર કરેલ ટકાવારી મુજબ રિટર્ન ના આપી, ફરીયાદીના ઇન્વેસ્ટ કરેલ પૈસા પણ પરત ના આપી કુલ રૂ.-9,19,525ની છેતરપીંડી કર્યા બાબતની ફરીયાદ મળતા…
જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ-406, 420, 120બી તથા આઇ.ટી.એકટ કલમ 66-Dમુજબ તા.4/6/2022 ના રોજ ગુન્હો દાખલ થયેલ હતો જે ગુન્હા બાબતે જામનગર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તપાસ હાથ ધરેલ જેમાં ફ્રોડ ઇન્વેસ્ટમેન્ટ એપ એનાલીસીસ તથા બેન્કીંગ ટ્રાન્ઝેકશનનું સંકલન કરી તેમજ ટેકનીકલ પુરાવા એકત્રીત કરેલ જેમાં આરોપીનુ લોકેશન મહારાષ્ટ્રના રાજયના નંદુરબાર જીલ્લાના આવતા હોય તથા જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આઇ.પી.સી. કલમ- 420 , તથા આઇ.ટી.એકટ કલમ 66, 66D ડી મુજબનો અનડિટેકટ ગુન્હા માટે આરોપીઓની શોધમાં હતા જેમાં ફ્રોડ થયેલ રકમ મનીટેઇલ તથા વોલેટ એનાલીસીસ કરેલ જેમાં આરોપીઓના લોકેશન સુરત શહેર ખાતેના આવતા હોય જેથી જામનગર શહેર ડી.વાય.એસ.પી જે.એસ.ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમની ટીમ સાથે મહારાષ્ટ્રના રાજયના નંદુરબાર જીલ્લા તેમજ સુરત શહેર ખાતે રૂબરૂ તપાસમાં જઇ ગુનામાં સંડોવાયેલ..
મોહંમદ સઇદ ખાટીક ધંધો, ડ્રાઇવીંગ રહે ગામ નવાપુર જી-તંદુરબાર રાજય-મહારાષ્ટ્ર, ખુશાલ ધનસુખભાઇ ઇટાલીયા ધંધો-વેપાર રહે- ગામ-વરાછા સુરત, દૈવીલ બળવંતભાઇ પટેલ ધંધો-વેપાર રહે- ગામ-ચોર્યાસી સુરત શકમંદોને ઝડપી પાડી તમામને ધોરણસર અટક કરી આગળની કાર્યવાહી કરવા તજવીજ કરેલ છે. ઝડપાયેલા ઈસમો પાસેથી સીમકાર્ડ-105, ATM કાર્ડ-16, ચેકબુક-06, ધની-પેના ફીડમકાર્ડ- 02, કોમ્પ્યુટર-01, મોબાઇલ-01 પણ કબજે લેવામાં આવ્યા છે.