Mysamachar.in:જામનગર
જામનગર શહેરના ચાંદીબજાર નજીક વસવાટ કરતા એક વૃદ્ધાને સરકાર વૃદ્ધોને 25 હજારની સહાય આપે છે તેમ કહીને એક અજાણી મહિલા કાગળ કરવાના બહાને લાલબંગલે લઇ જઇ વિશ્વાસ કેળવ્યા બાદ રૂ.4.20 લાખના દાગીના લોકરમાં મૂકવાના છે તેમ કહી લઇ જઇ છેતરપિડી કરતા અજાણ્યા મહિલા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર જામનગર શહેરના નેમીનાથ દેરાસર પાસે ચાંદીબજારમાં રહેતી રમાબેન રમેશચંદ્ર મહેતા નામની વૃદ્ધાને ગત તા.17 માર્ચ 2023ના બપોરના સમયે અજાણી સ્ત્રીએ ઘરે આવી સરકાર વૃદ્ધોને 25 હજારની સહાય આપે છે તેમ કહી વૃદ્ધાને આ બાબતના કાગળો કરી લાલબંગલે લઇ જઇ બાદમાં તેમની પાસે રોકડ કે સોનું હોય તો લોકરમાં મૂકવાનું કહીને વૃદ્ધા પાસે રહેલ સોનાની બંગડી-4, સોનાનો ચેઇન, હાથમાં પહેરવાની પાટલી, સોનાનો ચેઇન, સોનાની વીટી-2 કાનમાં પહેરવાની બુટી વગેરે બેંકના લોકરમાં મૂકવાના બહાને રૂ.4.20 લાખના દાગીના લઇ નાસી છૂટતા છેતરાયેલા વૃદ્ધાએ આ અંગે સીટી-એ ડીવીઝનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.