Mysamachar.in-અમદાવાદ
ગુજરાતમાં 2021ના વર્ષનું પહેલુ વાવાઝોડું સંભવિત રીતે ત્રાટકવા જઈ રહ્યું હોવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવતા તંત્ર રાજ્યસરકારની સુચનાથી સાબદા બન્યા છે, જે ગતિથી સોઇક્લોનિક સ્ટ્રોમ આગળ વધી રહ્યું છે તેને જોતા તે 18 મેના રોજ ગુજરાતના દરિયાકિનારે પહોંચશે.જેને કારણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. IMDએ આગાહી કરી છે કે ઓછા દબાણવાળા વિસ્તારમાં વાવાઝોડું 16મેની આસપાસ પૂર્વી મધ્ય અરબ સાગરમાં ઝડપથી વિકસિત થઇને ઉત્તર પશ્વિમની તરફ વધી શકે છે. 15-16 મેના રોજ લક્ષદ્વીપ દ્વીપસમૂહના નીચલા વિસ્તારમાં એલર્ટ જાહેર કર્યું છે. એટલે 16 મેના રોજ આવનાર વાવાઝોડાને કારણે 14 થી 16 મેની વચ્ચે કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને મહારાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
ગુજરાત પર ”તૌકતે” વાવાઝોડાની અસર 16 મેથી 20 મે સુધી વર્તાશે તેવું અનુમાન કરાયું છે. આ દરમિયાન 35-40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જેને પગલે અત્યારથી જ સૌરાષ્ટ-કચ્છમાં તંત્ર એલર્ટ મોડ પર છે, દક્ષિણ-પૂર્વ અરબી સમૃદ્ધમાં લૉ પ્રેશર સર્જાયું છે, જે 15મે સુધી પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં સાઇક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાઈને ઉત્તર-ઉત્તર પશ્વિમ તરફ આગળ વધી રહ્યું છે. તે ભારે પવનથી તોફાનમાં ફેરવાઇ જશે, ત્યારબાદ તોફાનની તાકાત વધ્યા બાદ તે વાવાઝોડું ‘તૌકતે’ બની જશે.
”તૌકતે” વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છ પર ત્રાટકવાની સંભાવના છે. જેને લઈને દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. ”તૌકતે” વાવાઝોડાને પગલે રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે. આ વાતાવરણની અસર 16થી 19 મે સુધી ગુજરાત પર રહેશે. સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને કચ્છમાં રહેશે. 18 અને 19 મે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. દ્વારકા, જામનગર, ભાવનગરમાં તેની અસર જોવા મળી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, 18-20 મેના રોજ ગુજરાતમાં વાવાઝોડું ”તૌકતે” તોફાની બની શકે છે. વાવાઝોડું કઇ દીશામાં આગળ વધશે તેને લઇને હજુ સ્પષ્ટતા કરાઈ નથી. લૉ પ્રેશર સર્જાયા બાદ જ જાણી શકાશે તે કરી દીશામાં આગળ વધી રહ્યું છે. ”તૌકતે” વાવાઝોડું કચ્છ અને સૌરાષ્ટમાં ત્રાટકી શકે છે. જેને જોતા તંત્ર દ્વારા દરિયાકાઠાંના તમામ વિસ્તારોને અલર્ટ કરી દેવામાં આવ્યા છે.