Mysamachar.in-જામનગર:
એક સચોટ સમાચાર માધ્યમની અસરકારકતા કેટલી હોય તે વધુ એક વખત માયસમાચાર ગણતરીની કલાકોમાં પુરવાર કરી આપ્યું છે, વાત એવી હતી કે જે લોકો દારૂ પીવા માટે હેલ્થ પરમીટ ધરાવે છે, તેવા પીનારાઓ ને રાજ્યમાં દારૂબંધીનો કાયદો કડક બનતા રાજકોટ અને જામનગર વચ્ચે ધક્કાઓ ખાવા પાડતા હતા, અને નીવેદ ધર્યા સિવાય કામ થતું નહોંતું, એવામાં થોડા સમય પૂર્વે ફરી સરકારે સુધારો કર્યો બાદ જામનગર ની જી.જી.હોસ્પીટલના સુપ્રિ. ને રીન્યુઅલ અરજીઓ યોગ્ય અભિપ્રાય માટે મોકલી અને રાજકોટને બદલે જામનગરમાં જ મેડીકલબોર્ડ બેસે તેવી વ્યવસ્થા ઉભી કરવા સૂચવ્યું હતું, પરંતુ જી.જી.ના .સુપ્રિ. એ બોર્ડ બનાવ્યુ જ નહોતું, માટે રીન્યુઅલ પરમીટોની અભિપ્રાયોની ફાઇલો અને કવરો ત્યા એમ ને એમ પડ્યા રહેતા જેમને નિયમમુજબ પરમીટ રીન્યુ કરાવવી છે તેવા અરજદારો ભાંભરડા નાખતા હતા,અને જામનગરમાં મેડીકલ બોર્ડની રચના કરવામાં અધિક્ષક ને રસ નહોતો કે બીજું કોઈ કારણ આ પ્રક્રિયા આગળ ધપતી જ નહોતી…
એવામાં માયસમાચારે આ અંગેનો સચોટ અહેવાલ પ્રસિદ્ધ કરતાં આ કામગીરી ગણતરીની કલાકોમાં જ જામનગર જી.જી.હોસ્પિટલમાં શરુ થઇ જવા પામ્યાનું હોસ્પિટલના સુત્રો જણાવે છે, પણ જાણવા એમ પણ મળી રહ્યું છે કે જે એક યુનિટનો ચાર્જ ૧૦૦૦ હતો તેને બદલે ૯૦૦૦ ચાર્જ કરી નાખવામાં આવ્યો છે, જે પીનારાઓ ને એક વખત નશો કર્યા વગર પણ ચક્કર ખવડાવી દે તેવો છે.