Mysamachar.in-જામનગર:
આજે દિવાળીના પર્વમાં રાત્રીના ખુબ આતશબાજી થશે, તો ક્યાંક અકસ્માતોના બનાવો પણ બનશે, ત્યારે જામનગરને લાગે છે ત્યાં સુધી તંત્ર પણ સંભવિત દુર્ઘટનાને પગલે તૈયાર થઇને બેસશે…જામનગર શહેરમાં દિવાળીના દિવસે કોઈ અકસ્માત સર્જાય તો તેને પહોંચી વળવા માટે ફાયર અને108 દ્વારા એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં શહેરમાં PGVCLના 288 કર્મચારીઓ તેમજ 7 સ્થળોએ ફાયર જવાનો અને 8 સ્થળોએ એમ્બ્યુલન્સો સ્ટેન્ડ બાય રહેશે.
દિવાળીની ઉજવણી સમયે શહેરમાં કોઈ આગ લાગવાથી મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે ફાયરતંત્ર દ્વારા શહેરના ડી.કે.વી. સર્કલ પાસે 1 ગાડી સાથે 5 જવાનો, દરબારગઢ પાસે 1 ગાડી સાથે 5 જવાનો, 1 ખંભાળીયાના નાકા પાસે 1 ગાડી સાથે 5 જવાનો તેમજ મ્યુ.કોર્પો.ની પાછળ ફાયર સ્ટેશન ખાતે 3 ગાડીઓ સાથે 10 જવાનો, બેડેશ્વરના ફાયર સ્ટેશને 3 ગાડીઓ સાથે 10 જવાનો અને જનતા ફાટક પાસેના ફાયર સ્ટેશન પાસે 3 ગાડીઓ સાથે 10 ફાયર જવાનો સ્ટેન્ડ બાય રહેશે. તેમજ PGVCLના 288 કર્મચારીઓ ફરજ પર રહેશે. જ્યારે આગના કે, ફટાકડા ફોડતા કોઈ વ્યક્તિઓ દાઝી જાય તો તે વ્યક્તિને તાત્કાલીક સારવાર મળી રહે તે માટે 8 વિસ્તારોમાં 108 ની એમ્બ્યુલન્સો સ્ટાફ સાથે તૈનાત કરવામાં આવી છે. જ્યારે જિલ્લામાં દિવાળીના દિવસે 20 એમ્બ્યુલન્સો અને 90કર્મચારીઓ ખડેપગે રહેશે.
-ગેસની પાઈપ લાઈન પર ફટાકડા નહીં ફોડવા ચેતવણી
ગુજરાત ગેસ દ્વારા શહેરમાં ગેસની પાઈપ લાઈન આસપાસ ફટાકડા નહીં ફોડવા તેમજ દિવડા નહીં પ્રગટાવવા લોકોને ચેતવણી આપી છે. છતાં ઈમરજન્સી સર્જાય તો મોન-97278 25555નો સંપર્ક સાધવા છે. ઉપરાંત લોકો પોલીસ કંટ્રોલ રૂમના 0288-2550200, જણાવાયું તંત્રના કંટ્રોલ રૂમના 0288-2553404 તેમજ ફાયર બ્રીગેડના 0288-2672208 ઉપર સંપર્ક કરી શકે છે.