Mysamachar.in-ગાંધીનગર
કોરોના વૈશ્વિક મહામારીથી સમગ્ર દેશમાં લોકડાઉન બાદ કેન્દ્ર સરકાર ધીમે ધીમે બધુ સર્વસામાન્ય કરવા માટે અનલોક જાહેર કરી રહી છે. કેન્દ્ર સરકારે અનલોક-5ની ગાઇડલાઇન્સ જાહેર કર્યા બાદ હવે રાજ્ય સરકારે પણ તેને અનુસરવાનું જાહેરનામું જાહેર કર્યું છે. તેમાં 15 ઓક્ટોબર પછી શિક્ષણજગત, મનોરંજન અને સામાજિક કાર્યક્રમો અંગે અનલોક કરવા માટેની રાજ્ય સરકાર હવે પછી જાહેરાત કરશે. ગુજરાત સરકારે જાહેરનામાં જણાવ્યું છે કે કેન્દ્ર સરકારની ગાઈડલાઈનનું રાજ્ય સરકાર પાલન કરાશે.
રાજ્ય સરકાર દ્વારા અનલોક 5ને લઈ જે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તેમાં કેન્દ્રની ગાઈડલાઈનનું કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી ચુસ્તપણે પાલન કરવાની જાહેરાતની સાથે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત શાળાઓ, કોચિંગ કલાસીસો, કોલેજો અને મનોરંજન તથા સામાજિક કાર્યક્રમો શરૂ કરવા અંગે રાજય સરકાર સમીક્ષા બાદનિર્ણય લેશે. કેન્દ્ર સરકારે અનલોક 5માં થિયેટર, સ્પોર્ટ્સ મેન માટે સ્વિમિંગ પુલ, વિવિધ એન્ટરટેઇન્મેન્ટ પાર્કને પણ ગાઈડલાઈન મુજબ ચાલુ કરી શકાશે.
એટલે રાજ્યમાં 15મી ઓક્ટોબર પછી શાળા, કોચિંગ સંસ્થાઓ, સિનેમા-મલ્ટિપ્લેક્સ-થિયેટર્સને 50% સીટિંગ કેપેસિટી સાથે, તેમજ કન્ટેન્મેન્ટ ઝોનની બહાર સામાજિક – શૈક્ષણિક – સાંસ્કૃતિક – ધાર્મિક – રાજકીય વગેરે કાર્યક્રમોમાં 100થી વધુ વ્યક્તિઓની હાજરી માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે.
સાથો સાથ તમામ ધાર્મિક સ્થળો 7 જૂન, 2020ની આરોગ્યમંત્રાલયની જાહેર એસ.ઓ.પી. મુજબ જ રહેશે. રાજ્યની હોટેલો અને રેસ્ટોરન્ટ રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે અને ટેક અવે માટે કોઈ લિમિટ અત્યારે આપવામાં આવી નથી. મોલ્સ 8મી જૂને જાહેર કરેલાં નિયમો મુજબ જ ચાલુ રાખવાના રહેશે. લાઇબ્રેરી 60% લોકોની કેપેસિટી સાથે શરૂ કરી શકશે. રાજ્યમાં GSRTC – સિટી બસ – પ્રાઇવેટ બસ સર્વિસમાં 75% લોકોને બેસાડી શકાશે. તેમજમેટ્રો રેલ સેવા કેન્દ્ર સરકારની ગાઇડલાઇન્સ પ્રમાણે કાર્યરત રહેશે. એવું હાલ અનલોક 5 બાબતે રાજ્યનું ચિત્ર સામે આવી રહ્યું છે. આમ કેન્દ્ર સરકાર દ્વાર રાજ્યોને અનલોક 5ની બાબતે આખરી નિર્ણય લેવાની સત્તા આપી છે.