Mysamachar.in-જામનગર
જામનગરમા રેશનવોર્ડને લગતી થોકબંધ ફરિયાદો હોવા છતા ક્યારેક પુરવઠા કચેરીના જવાબદારોએ આકસ્મિક તપાસણી કરવાની તસ્દી જ નથી લીધી કેમકે તેનુ ખાસ કારણ છે આવુ ન કરવા પાછળ મોટા લાભ છુપાયેલા છે અને ચેકલીસ્ટ પણ એમને એમ ભરાય જાય છે તેમજ લાંબા સમય સુધી આવુ કરવાથી તગડી આવક થાય તે અંગે સુત્રો પાસે ઠોસ માહિતીઓ છે તેમ જણાવ્યુ છે. સસ્તા અનાજની દુકાનના સ્ટોક રજીસ્ટર આવક જાવકના હિસાબ કાર્ડ દીઠ માલ વિતરણ સ્ટેટમેન્ટ વધ્યો કોઇ લેવા ન આવ્યા તેનુ શુ કર્યુ?? ઉધારી નાખ્યુ કે શુ?? વગેરે બાબતોની તપાસ ન થાય બીલ બનાવા પ્રિન્ટર ન હોય તો પુછાય નહી આવી તો ઘણી બાબતો છે અને પાંચ સાત એવા લોકોના નિવેદન પણ લેવાય જે દુકાનદારના માનીતા હોય કા તો દબાણમા હોય અને બધુ સંકેલો થઇ જાય છે કેમકે જિલ્લા પુરવઠા અધીકારી સહિત સ્ટાફની ભ્રષ્ટાચાર પર મીઠી નજર છે તેમ જાણકારોએ ઉમેર્યુ છે.
જાબાજ જિલ્લા પુરવઠા અધીકારી કેમ આવા સવાલો પૂછવામાં આવે ત્યારે ચુપ થઇ જાય છે, અને હા પુરવઠા ઇન્સ્પેક્ટરો અને અમુક લગત સ્ટાફને આવી ખાસ સુવિધાઓ દુકાનધારકોને આપવા માટે બેઠી આવક છે આ આવક એટલી તગડી છે કે અમુકના તો બંગલા છે અને બંગલામા મોંઘુ ફર્નિચર છે અમુક પાસે કાર સહિત મોઘા વાહન છે દાગીના પણ છે રોકડ પણ હાથ ઉપર ઘણી છે, ત્યારે આ ગેરરિતીથી થઇ રહેલી કમાણી કદાચ બીજાને ખબર ન હોય પરંતુ સુત્રો પાસે કર્મચારીવાઇઝ વિગત છે જેમા તેને માસીક અને વાર્ષક મલાઇ કેટલી મળે વાર તહેવારે કેટલી રકમ મળે તેના ચોક્કસ આકડા જાણવા મળ્યા છે, જે ખુબ ચોકાવનારા છે.
હવે દુકાનદાર શા માટે મસ મોટી રકમ આપે?? તેનુ કારણ છે કે ગરીબોને પુરતો માલ ન આપી તે બારોબાર વેંચાય તેની જંગી આવક અમુક દુકાનદારને થાય છે સુત્રોએ એ પણ ગણતરી જણાવી કે આવુ કરનાર વોર્ડવાળા દરમહિને કેટલુ કમાય છે?? માટે તો “દેવુ” પોસાય જ ને?? આ તમામ બાબતો એટલી સ્ફોટક છે કે ફીગર વાઇઝ જયારે પણ જાહેર થશે ત્યારે ખળભળાટ મચી જાય તેમ છે અને આ તમામ વિગતો તપાસનીશ એજન્સી જેવીકે એસીબી વીજીલન્સ વગેરેને પુરી પાડવા જામનગરના અમુક જાગ્રત લોકો માયસમાચારની ઝુંબેશ બાદ આગળ આવ્યા છે, અને તેવોએ આ મામલે ફરિયાદી બનવા સહિતની તૈયારીઓ કરી લીધાનું જાણવા મળ્યું છે.