Mysamachar.in:જામનગર
જામનગર શહેર અને જીલ્લામાં સાર્વત્રિક મેઘમહેર બાદ આજે થોડા કલાકો પુરતો મેઘરાજાએ વિરામ લીધો છે. ત્યારે આજે સવારે છ વાગ્યા સુધીમાં અને આ ચોમાસાની ઋતુમાં ક્યાં તાલુકામાં કુલ કેટલો વરસાદ પડ્યો તેના આંકડાઓ પર નજર કરવામાં આવે તો..જામનગર શહેરમાં 17 ઇંચ, કાલાવડમાં 32 ઇંચ, ધ્રોલમા 20 ઇંચ, જોડિયામા 13 ઇંચ, લાલપુરમા 25 ઇંચ, જામજોધપુરમાં પણ 25 ઇંચ વરસાદ આ સીઝનનો કુલ વરસાદ છે.
તો છેલ્લા 24 કલાકમાં એટલે કે ગઈકાલે સવારે છ વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધીમાં જામનગર શહેરમા સાડા ત્રણ ઇંચ, કાલાવડમાં 3 ઇંચ, ધ્રોલ જોડિયામાં એક એક ઇંચ, લાલપુરમાં 5 ઇંચ, અને જામજોધપુરમા 7 ઇંચ વરસાદ નોંધાયો છે.