Mysamachar.in-જામનગર
જામનગરવાસીઓનું વર્ષો જૂનું રેલવે સ્ટેશન સુધીનું ઇલકેટ્રીક રેલવેલાઇનનું સ્વપ્ન પૂર્ણ થયું છે કેમકે રાજકોટ રેલવે સ્ટેશનથી હાપા સુધી રેલવેનું વિધુતીકરણનું કામ પૂર્ણ થયું છે, રાજકોટથી જામનગર હાપા સુધીન્ના 80 કિમિ ના રેલેવે ટ્રેક ઉપર હવે ઇલકેટ્રીકસીટી સાથેના રેલવે એન્જીનવાળી ટ્રેનો દોડશે,આ અંગે રાજકોટ રેલવે ડિવિઝન વિભાગના ડીઆરએમ ના જણાવ્યા મુજબ રાજકોટ થી હાપા સુધી રેલવેનું વિધુતીકરણનું કામ ચાલુ કરેલ હતું તે કામ પૂર્ણ થઇ ગયું છે.
આગામી સમયમાં દેશ દેશના સીમાડાના આખરી રેલવે સ્ટેશન એવા ઓખા સુધીનું રેલવેનું વિધુતીકરણનું કામ પણ પૂર્ણ થઇ જશે. રાજકોટથી હાપા સુધીનું અંદાજે 80 કિમિના અંતરના રેલવે ટ્રેક ઉપર રેલવેનું ઇલકેટ્રીકલનું કામ પૂર્ણ થઇ ગયું છે. જેનાથી રાજકોટ રેલવે ડિવિઝનની ટ્રેનની સ્પીડમાં વધારો થશે,આ સાથે મહત્વની બાબતએ પણ છે કે પ્રદુષણમાં ખુબ ધટાડો થશે, એટલે કે કાર્બન શૂન્ય થઇ જશે તેમ રાજકોટ રેલવે ડિવિઝનના ડીઆરએમએ ઊમેર્યું હતું, રાજકોટ થી હાપા સુધી રેલવે વિધુતીકરણનું કામ, પૂર્ણ થતા રેલવે ની જે ડીઝલનો ખર્ચ થતો હતો તેમાં ખુબ મોટી બચત થશે.
જો કે કોરોનાકાળમા સ્ટોપ થયેલી બાદમા જુજ શરૂ થયેલી રેલવે સેવાનો સંપુર્ણ અને પુરેપુરો તેમજ વધુમા વધુ લાભ મુસાફરોને ફુલ ફ્લેજમાં દરેક સ્ટોપ અને પુરતી સ્ટેશનોની સુવિધા અને સલામતી સાથે સો ટકા ક્યારે મળતો થશે તે પણ હજુ સવાલ છે.