Mysamachar.in-જામનગર:
જામનગર નજીક આવેલ વિભાપર ગામે મધુરમ સોસાયટીમાં વસવાટ કરતા ૨૨ વર્ષીય ભરત ઘયડાના લગ્ન ત્રણેક વર્ષ પૂર્વે અમદાવાદમાં રહેતી એક યુવતી સાથે થયા હતા, પરંતુ લગ્ન થયાના ૧૫ દિવસમાં જ છૂટાછેડા થઇ જતા ભરત સતત વિચારોમાં અને ગુમસુમ રહેતો હતો,અને અંતે જિંદગી થી કંટાળી જઈને અંતે પોતાના ઘરે જ રસોડામાં ગળાફાંસો ખાઈ લેતા તેને સારવાર માટે જી.જી.હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કર્યાનું પોલીસ ચોપડે નોંધાયું છે.