Mysamachar.in-ગુજરાત:
દેખીતુ છે કે ગંભીર સ્થિતિ હોય તો દરેક સ્તરે એનાલીસીસ થાય પરંતુ તેમાં એક તો ટંગડી ઉંચી રાખવી અને ઉપરથી પાછા ક્યા હતા તો કે હતા ત્યા ને ત્યા ક્યા ગ્યા તા તો ક્યે ક્યાય નહી તેવુ થાય તો તેને એનાલીસીસ કહેવાય? ગુજરાત માટે પણ બીજા રાજ્યોની જેમજ વડાપ્રધાને સલાહ આપવી જ પડી કેમકે કોરોના હારશે ગુજરાત જીતશે એમ બોલવાથી વાયરસ ભાગે? કે લોકો એકાએક જાગૃત થઇ જાય? કે રોગચાળો જતો રહે? ટેસ્ટ વધારોના ગાણા ગાતી સરકાર પુરતી કીટ પુરતા સાધન પુરતા સ્ટાફ આપો હવે ડોક્ટર્સ નર્સ લેબ ટેક સહયોગી સ્ટાફ બધાની સરકારી હોસ્પીટલોમા હાલત કફોડી છે, તેમાથી ઘણા ખરા સમયસર જમી કે સુઇ નથી શક્યા ઘણા દિવસથી તો પોતાની હેલ્થની કાળજી પણ લઇ નથી શક્યા તેમની પણ ચિંતા કરવી જરૂરી છે,
બીજુ સેમ્પલ લેવા દર્દીને તૈયાર કરવા સેમ્પલ લેવા પ્રીઝર્વ કરવા ટેસ્ટ કીટ તૈયાર કરવી પ્રોસેસમા મુકવુ રીડીંગ લેવા રિપોર્ટ તૈયાર કરવો સબમીટ કરવો વગેરે ઘણો સમય માંગી લે છે તેમા પણ ભુલ ન થવી એ મોટી બાબત છે જુજ સ્ટાફ રોજના હજાર સેમ્પલ લઇ ચેક કરે તે બોલવુ સહેલુ છે કરવુ કપરૂ છે એ સરકાર મા બાપ ને ખબર નથી? તેમજ લોકો સાજા થાય છે તેઓ પોતે પણ રોગ પ્રતિકારશક્તિ સારી ધરાવતા હોય દવા સમયસર લેતા હોય કાળજી લેતા હોય તેવુ પણ બને હા સીરીયસ દર્દીઓ માટે ડોક્ટરોની કવાયત ગજબની હોય છે પરંતુ આ ઇન્વોલ્વમેન્ટ નુ ચિત્ર છે પરંતુ બહારથી જોઇ ટેસ્ટ વધારો માસ્કના દંડ વધારો ડીસ્ટન્સના કેસ વધારો સંક્રમણ શોધી લાવો વગેરે સુચનાઓ બોલવી સહેલી છે અને વારંવાર આ જ ગાણા ગવાય છે,
દેશમાં અનલોક દરમિયાન સતત વધતા જતા કોરોનાના કેસને લઈને વડાપ્રધાન મોદીએ વધુ એકવાર ગુજરાત સહિત 10 રાજયો કે જયાં કોરોનાના વધુ કેસો છે તેવા રાજયોના મુખ્યમંત્રીઓ સાથે તાજેતરમા વીડીયો કોન્ફરન્સ કરી હતી આ ચોથી કોન્ફરન્સ હતી, જેમાં ગુજરાત સહિતના 10 વધારે કોરોનાગ્રસ્ત રાજયોને ટેસ્ટ વધારવાની ટકોર કરી હતી અને સંક્રમીતના સંપર્કમાં આવેલાઓનો 72 કલાકમાં ટેસ્ટ કરવાનું વડાપ્રધાને જણાવ્યું હતું, વડાપ્રધાન મોદીના કોરોના સંબંધી વાર્તાલાપમાં ગુજરાત સહિત આંધ્રપ્રદેશ, કર્ણાટક, તામીલનાડુ, પશ્ચીમ બંગાળ, મહારાષ્ટ્ર, બિહાર, તેલંગાણા અને ઉતર પ્રદેશ રાજયના મુખ્યમંત્રીઓ સામેલ થયા હતા
વડાપ્રધાન મોદીએ કોરોના મુદે સતત ચોથીવાર રાજયોના મુખ્યમંત્રીઓને વિડીયો કોન્ફરન્સથી સંબોધ્યા હતા. મોદીએ જણાવ્યું હતું કે કોરોનાને હરાવીને દેશ જીતશે. કોરોનાના સૌથી વધુ કેસ એકટીવ કેસ આ 10 રાજયોમાં છે અને દરેક રાજયો પોતાના સ્તરે કોરોના સામે લડી રહ્યા છે. કેન્દ્ર અને રાજય ટીમ બનાવીને કામ કરે છે.આપણે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છીએ.વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે કોરોના સામે લડવામાં બધાનો સાથ જરૂરી છે. કોરોનાનું ચિત્ર કઠીન હોય પણ આપણે સિસ્ટમેટીક રીતે આગળ વધવું જોઈએ
મોદીએ એ પણ જણાવ્યું હતું કે કોરોનાના વધતા કેસની સામે રિકવરી રેટ પણ વધતો જાય છે.કોરોનાને મ્હાત કરવા માટે વડાપ્રધાને જણાવ્યું હતું કે કોરોનાના ટેસ્ટ વધારવા જોઈએ. તેમણે ગુજરાત સહીત તમામ 10 રાજયોને ટેસ્ટીંગ વધારવાની ટકોર કરી હતી. કોરોના નિવારણ માટે પીએમે એવું પણ સૂચન કર્યું હતું કે સંક્રમીતોના સંપર્કમાં આવેલાઓના 72 કલાકમાં ટેસ્ટ કરવા જોઈએ. મોદીએ જણાવ્યું હતું કે કોરોના સામે લડવા બધાનો સાથ જરૂરી છે.વડાપ્રધાને રાજયોના મુખ્યમંત્રીઓને સંબોધતા કહ્યું હતું કે કોરોનાથી મૃત્યુનો દર ઘટાડીને 1 ટકો લાવવાના છે અને રિકવરી રેટ ઉંચો લાવવાનો છે.
આમા મહત્વનુ છે કે સીસ્ટમેટીક આગળ વધવાનુ કહેવાયુ એ ગુજરાતને પણ કહેવાયુ બીજુ રીકવરી રેટ વધ્યો એ તો દર્દી વધ્યા તેની સામે જાગૃતિ થોડી લોકોની પણ છે હા સિરિયસ દર્દીઓ બચ્યા તે માટે એક માત્ર ડોક્ટરો અને તેની ટીમ અભિનંદનને પાત્ર છે સરકારે તો સ્લોગન આપ્યા સારવાર તો ડોક્ટરોએ આપી છે.