Mysamachar.in-જામનગર
રાજ્યમાં હમણાં હમણા આપઘાતના બનાવો ભારે ચર્ચામાં રહ્યા છે, ત્યારે જામનગરમાં પણ એક યુવકે તળાવમાં ઝંપલાવી આપઘાત કર્યાનું જાહેર થયું છે, શહેરના લાખોટા તળાવમાં પાછલા તળાવ સાઈડે પાણીમાં કોઇ મૃતદેહ તરતો હોવાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઇ હતી અને મૃતદેહને પાણીમાંથી બહાર કાઢયો હતો. પોલીસે સ્થળ પર પહોચી અને મૃતકની ઓળખ કરતા મૃતક શહેરના દિગ્વિજય પ્લોટ-64 વિસ્તારમાં મીઠાઇની દુકાન પાસે રહેતા અશોકભાઇ નારણદાસ નારવાણી હોવાનુ તેના પરીવારે ઓળખી બતાવ્યુ હતુ. મૃતદેહને પોષ્ટમોર્ટમ અર્થે ખસેડી તેના પરિવારજનોનું નિવેદન લેવામાં આવતા મૃતક અશોકભાઈ કટલેરી અને હોઝીયરીના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનુ તેમજ છેલ્લા કેટલાક મહિનાઓથી ધંધો બરાબર ચાલતો ન હોવાથી આર્થિક સંકડામણ અનુભવતો હોય જેથી આવુ પગલુ ભરી લીઘુ હોવાનુ જાહેર થયુ છે.