Mysamachar.in-જામનગર:
દેશ સહીત ગુજરાત રાજ્યમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે કેટલાક લોકો હજુ પોતાના વતનથી કોઈને કોઈ દુર જગ્યાઓએ લોકડાઉનને કારણે ફસાયેલા છે, એવામાં જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના બાલવા ગામે એક ઘટના સામે આવી છે, જેમાં ધર્મેન્દ્રસિંહ ભારાઈની વાડીમાં કામ કરતા ધનાભાઇ પરમારની પુત્રી મરણજનાર મંગુબેન નાથાભાઇ ચૌહાણ અંજારથી પોતાના માવતરે માનતા કરવા આવેલ હોય પરંતુ લોકડાઉનના કારણે વાહન વ્યવહાર બંધ હોય જેથી તેણીના પીતાજી એ લોકડાઉન ખુલ્યા બાદ જવાનું મનમાં લાગી આવતા પોતાના બાપુજીએ રાખેલ કપાસમાં છાંટવાની ઝેરી દવા પી જતા તેણીનું મોત નીપજયાનું પોલીસ ચોપડે જાહેર થયું છે.