Mysamachar.in-જામનગર
સમાજમાં ક્યારેક એવા કિસ્સાઓ સામે આવી જતા હોય છે જેને કારણે ચોતરફથી ફીટકાર ઉભો થાય છે, જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના એક ગામેં પણ આવી જ એક શરમજનક ઘટના વર્ષ 2018માં બની હતી જ્યાં સગીરાને તેના જ પાલક પિતાએ હવસનો શિકાર બનાવ્યાની ફરિયાદ જામજોધપુર પોલીસમથકમાં દાખલ થઇ હતી, તત્કાલીન ઇન્ચાર્જ પી,આઈ. જે.ડી.પરમાર સહિતની ટીમે આ કેસમાં ઊંડાણપૂર્વકની તપાસ કરી અને આરોપીને ઝડપી પાડ્યો હતો, આ કેસ ચાલી જતા કોર્ટે આરોપી પિતાને કસુરવાર ઠેરવી આજીવન કેદની સજા અને દંડ ફટકાર્યો છે. ઉપરાંત સગીરાને વળતરરૂપે અઢી લાખની રકમ ચૂકવવાનો આદેશ કરાયો છે.
જામનગર જીલ્લાના જામજોધપુર પંથકના એક ગામની એક સગીરાને તેના જ પાલક પિતાએ હવસનો શિકાર બનાવી 2018ની બળજબરીપૂર્વક વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ આરોપીએ સગીરા તેમજ તેની માતાને જાનથી મારવાની ધમકી આપવામાં આવતી હતી. જેથી કંટાળી જઇ સગીરા પોતાનું ઘર છોડીને ચાલી ગઇ હતી. આ બનાવ અંગે ભોગગ્રસ્ત સગીરાએ પાલક પિતા સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના અનુસંધાને પોલીસે આરોપીને ઝડપી પાડી મેડીકલ તપાસણી સહિતની કાર્યવાહી કરી હતી, જે બાદ આ ગુન્હાનું ચાર્જશીટ કોર્ટમાં મુકાયું હતું,ત્યારે આ કેસ જામનગરની પોકસો અદાલત સમક્ષ ચાલી જતાં અદાલતે આરોપી પાલકપિતાને અલગ અલગ કલમો હેઠળ તકસીરવાન ઠેરવી આજીવન કેદની ઉપરાંત ભોગ બનનાર સગીરાને રૂપિયા અઢી લાખ રૂપિયા કમ્પોશેશનના ભાગરૂપે ચૂકવવાનો પણ સ્પેશ્યલ અદાલતે હુકમ કર્યો છે.